મોદીની ચમચાગીરી ભારે પડી
એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા છે કેમકે તેમને મોદીએ રાજ્યસભાની ટીકીટ નહોતી આપી. આ લોકો એમ માનતા હતા કે મોદીની ચાંપલુશી કરવાથી તેમને રાજ્યસભા સહીત અન્ય ચાન્સ મળશે પરંતુ મોદીએ દરેકને દુરથી સલામના સંબંધો રાખ્યા હતા. મોદીના જમ્ન દિવસ નિમિત્તે આ આર્ટીકલ લોકોને ગમશે. રાજકારણમાં ‘મહત્વાકાંક્ષા’ અને ‘વિચારધારા’ વચ્ચે ખૂબ જ બારીક રેખા હોય છે.

છેલ્લા ૧૨ વર્ષોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા અનેક ચહેરાઓને ખુલ્લા પાડ્યા છે જેઓ વિચારધારાનો નકાબ પહેરીને સત્તાના ગલિયારાઓમાં મોટો દબદબો બનાવવા ઈચ્છતા હતા. જોકે, જે ક્ષણે તેમને ‘બાજુ પર’ કરવામાં આવ્યા, તેમનો અસલી રંગ જનતા સામે આવી ગયો.
મધુ કિશ્વર:
૨૦૧૩ સુધી, તેઓ કટ્ટરપંથી ડાબેરીઓ અને અલગતાવાદીઓની નજીક હતા. જ્યારે રાજકીય પવન બદલાયો, ત્યારે તેમણે ‘મોદીનામા’ પુસ્તક લખ્યું. તેઓ રાજ્યસભાની બેઠકના સપના જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે સ્મૃતિ ઈરાની મંત્રી બન્યા, ત્યારે તેમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હોય તેવું લાગતું હતું.
સુબ્રમણ્યમ સ્વામી:
તેમણે આખી જિંદગી દરેક મોટા નેતા પાસે ‘નાણામંત્રી’નું પદ મેળવવા માટે વિનંતીઓ કરી. રામ જેઠમલાણીએ એકવાર તેમના માટે “ઝેરીલો નાગ” અને “ખતરનાક સત્તા ભૂખ્યો” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આજે તેમની સ્થિતિ સૌની સામે છે
સત્તાવાંચ્છુ આ લોકો આજે સમાચાર માધ્યમોમાં રહેવા ફાંફા મારે છે અને મોદી માટે એલફેલ બોલે છે.
યશવંત સિન્હા: વાજપેયી સરકાર દરમિયાન તેમનો મોટો દબદબો હતો; જ્યારે મોદી યુગમાં તેમને કોઈ પદ ન મળ્યું, ત્યારે તેમણે મમતા બેનર્જીનો આશરો લીધો. એક સમયે તે મોદી સરકારના સત્તાવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે પણ ઉભા રહ્યા હતા.
શત્રુઘ્ન સિન્હા: ભાજપે તેમને સ્ટાર બનાવ્યા, પરંતુ પોતે ‘કિંગમેકર’ હોવાના ભ્રમમાં તેઓ માત્ર વિવાદાસ્પદ નિવેદનો આપનારા ‘બોલકા નેતા’ બનીને રહી ગયા. આજે શત્રુધ્ન સિંહાની સ્થિતિ નહીં ઘરના -નહીં ઘટના જેવી છે.
સત્યપાલ મલિક: તેમણે ચાર રાજ્યોના રાજ્યપાલ તરીકે તમામ સુવિધાઓ ભોગવી; જ્યારે તેમનો કાર્યકાળ લંબાવવામાં ન આવ્યો, ત્યારે તેઓ અચાનક ‘ક્રાંતિકારી’ બની ગયા.
વરુણ ગાંધી: તેઓ પોતાની અટક (સરનેમ)ના આધારે મોટી ભૂમિકા ઈચ્છતા હતા; જ્યારે તેમણે શિસ્ત ભંગ કરી અને ટિકિટ ન મળી, ત્યારે તેમણે પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલી દીધો.
અરુણ શૌરી: ૨૦૧૪માં જ્યારે પદ મેળવવાની તેમની ઈચ્છા પૂરી ન થઈ, ત્યારે તેઓ સૌથી તીખા વિવેચક બની ગયા. ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન પણ આજ યાદીમાં આવે છે.
સાચી વાત એ છે કે મોદીની ‘પારખુ નજરે’ આ લોકોનો અસલી સ્વભાવ અને ચરિત્ર ઘણો સમય પહેલા જ ઓળખી લીધો હતો. તેમનું આ રીતે ‘નિયંત્રણ ગુમાવવું’ એ વાતની સાબિતી છે કે મોદીનો ‘ઈલાજ’ એકદમ સચોટ હતો.
