મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિક બા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું વિમોચન**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત
ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં જણાવ્યું હતું કે, વીર સાવરકર ભારતના
સ્વાતંત્ર્ય સંગ્રામના અનસંગ હિરો છે. આજે આવા જ વ્યક્તિત્વનું પૂણ્ય સ્મરણ કરવાનો આ અવસર આજની પેઢીનો અને
આવનારી પેઢીઓનો રાષ્ટ્રહિત પ્રબળ કરશે.
મુખ્યમંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રીએ વીર સાવરકરને ‘અનેક વિશેષતાઓથી ભરેલું વ્યક્તિત્વ’ પણ કહ્યું છે.
વીર સાવરકરના જીવન કાર્યો વિશે જેટલું બોલીએ, વાંચીએ, લખીએ તેટલું ઓછું જ છે. આપણી યુવા પેઢી, આવનારી પેઢી
સાવરકરને ભુલે નહીં, સાવરકરના ત્યાગ, બલિદાન અને વિચારોને જાણે-સમજે તે જોવાની આપણા સૌની જવાબદારી છે એમ
મુખ્યમંત્રી શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું
તેમણે વધુમાં કહ્યું કે, ભારતની સનાતન પરંપરાને માનનારા વીર સાવરકર અંગ્રેજી આક્રાંતાઓ સામે સશસ્ત્ર ક્રાંતિ
કરવાના પ્રણેતા હતા. આમ વીર સાવરકરને યાદ કરવાના કારણો હજાર છે, પણ ભુલવાનું કારણ એક પણ નથી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિકબા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી
સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી શ્રીના હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન
પોર્ટલનું પણ લૉન્ચ પણ કરાયું હતું.
આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમિબેન ઉપાધ્યાય, ભારતીય
જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુધાંશુ ત્રિવેદીજી, મેઘનિર્ઘોષના સ્થાપક અને ટ્રસ્ટી શ્રી મેહુલ ગાંધી, લેખક શ્રી રસિક બા
કેસરીયા ઉપસ્થિતિ રહ્યા હતા.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…