દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી
કેલગરી ( આલ્બર્ટા ) ના જય મહારાજ ગૃપ દ્વારા કેલગરી સ્થિત નડિયાદી પરિવાર માટે નયનરમ્ય નૈસર્ગિક અને ખુશનુમા વાતાવરણમાં નોર્થ Glenmore પાર્ક કેલગરી, કેનેડા ખાતે પિકનિકનું સરસ આયોજન થયું હતું. .લીલાછમ વૃક્ષો અને લીલી હરિયાળી મનમોહક હતી .
શરૂઆતમાં દરેકનું ચા -કોફી અને સ્વાદિષ્ટ નાસ્તા થી સ્વાગત થયું. બપોરે લંચ કર્યું . ત્યારબાદ સ્વાદિષ્ટ તડબૂચનો સ્વાદ માણ્યો.ચા, કોફી અને ઠંડા પીણાં ની પણ દરેકે મોજ માણી . દિવસ દરમ્યાન ક્રિકેટ ,બેડમિન્ટન , બહેનોએ અંતાક્ષરી અને ઉભી ખો ની રમત રમી આનંદ માણ્યો. અંતમાં સાંજે સ્વાદિષ્ટ ભોજન લીધું .વિદેશ ની ધરતી પર જ્યારે કોઈ આપણા મળે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. એકબીજાને મળી પરિચિત થયા અને એકજ સ્થળે બધાને મળવાની તક મળી.
સમગ્ર પિકનિકને સફળ બનાવવા જય મહારાજ ગૃપ ની નડિયાદી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી .તેમનું કાર્ય ખૂબ જ સરાહનીય રહ્યું. અંતે દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી .
(માહિતી :- ઘનશ્યામ પટેલ કેલગરી , કેનેડા અને તસ્વિર સૌજન્ય ;- કાન્તિભાઈ મિસ્ત્રી નડિયાદ વાળા).
'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…
અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…
Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…
લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Gujarat Rain Update | ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…