લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજીત “ઉદ્યમી સંમેલન ૨૦૨૪” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે
ઉપસ્થિત રહી ઉદ્યોગકારોના માર્ગદર્શન આપ્યું.
લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔધોગિક સંગઠન જે ઉધોગ હિત થકી રાષ્ટ્રહિતના મંત્ર સાથે છેલ્લા ર૯ વર્ષો થી સંર્પૂણ ભારત વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉધોગોના હિતાર્થે કાર્ય કરી રહ્યું છે.
આ પ્રસંગે શ્રી પ્રકાશચંદ્રજી ગુપ્તા (અખિલ ભારતીય સંગઠન મંત્રી લઘુ ઉધોગ ભારતી), શ્રી બળદેવભાઇ પ્રજાપતિ (ગુજરાત અને રાજસ્થાન પ્રભારી લઘુ ઉદ્યોગ ભારતી), શ્રી શ્યામ સુંદર સલુજા (રાષ્ટ્રીય સચિવ, લઘુ ઉદ્યોગ ભારતી), શ્રી વજુભાઇ વઘાસીયા (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી),
શ્રી જયેશભાઇ પંડયા (અધ્યક્ષ-લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત પ્રદેશ), શ્રી ઇશ્વરભાઇ પટેલ (અધ્યક્ષ કર્ણાવતી સંભાગ-લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત), શ્રી અશોકભાઇ પટેલ – ઉપપ્રમુખ કર્ણાવતી સંભાગ તથા કર્ણાવતી જીલ્લા પ્રભારી, લઘુ ઉદ્યોગ ભારતી, શ્રી ડિમ્પલભાઈ પટેલ – પ્રમુખ વટવા જીઆઈડીસી એસોસિએશન, અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા હતા