Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે “પોષણ 360” સ્પર્ધાનું આયોજન

Chief Editor April 19, 2026
19 us1
અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગથી “પોષણ 360” સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

‘પોષણ 360’ સ્પર્ધા તારીખ ૧૫મી અપ્રિલના દિવસે સીટી ઑફ અર્વાઈન, કેલિફોર્નિયામાં અર્વાઈન હિન્દુ મંદિર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્લોબલ ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ એન્ડ ટેક્નોક્રેટ્સ ફોરમ (GIST) ના નેજા હેઠળ ચલાવવામાં આવતી આ સ્પર્ધાનો હેતુ આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત સંતુલિત પોષણ, રોગપ્રતિકારક શક્તિ અને સર્વાંગી સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો છે.લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલનું પ્રતિનિધિત્વ કરતાં, માનનીય પ્રિયંકાજીએ કાર્યક્રમમાં પોતાની ગરિમામયી હાજરી આપી હતી અને સ્પર્ધાની પ્રશંસા કરી. મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડૉ. દિનેશ કુમારે ‘આધુનિક જીવનશૈલીમાં પોષણના મહત્વ અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની અસર’ વિશે પ્રકાશ પાડ્યો. વિશેષ વક્તા ડૉ. યેલ્લોજીરાવ કે. મિરાજકરે આયુર્વેદના સિદ્ધાંતો દ્વારા ‘દૈનિક જીવનમાં સંતુલિત આહાર અને જીવનશૈલી’ અપનાવવાના મહત્વ પર વિગતવાર વાત કરી. મંદિરના પ્રમુખ શ્રી દીપક શર્માએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને આવી સ્પર્ધાઓને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવી. આરાધ્યાએ કાર્યક્રમનું અસરકારક રીતે સંચાલન કર્યું.
ન્યુટ્રિશન ૩૬૦ અને ઈશ્ટ સાથે સંકળાયેલા વૈદ્યશ્રી રાજેશ કંવરે આ અભિયાનની રૂપરેખા અને ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ પહેલ લોકોને આહાર દ્વારા રોગો અટકાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપશે. અત્રે હાજર સ્વયંસેવકોએ કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમના સહયોગથી આ કાર્યક્રમ વ્યવસ્થિત અને અસરકારક રીતે સફર રહ્યો હતો. એકંદરે, આ કાર્યક્રમ માહિતીપ્રદ, પ્રેરણાદાયક અને સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું આ કાર્યક્રમ અંગે હાર્દિક શુભેચ્છાઓ, વૈદ્ય રાજેશ કંવર સુરેશ લોહિયા એ પાઠવી હતી.
                                                                ( માહિતી અને તસ્વિર ;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ચારધામ યાત્રા 2026: અક્ષય તૃતીયાએ ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથનું શેડ્યૂલ
Next: સુરતના યુવાન સાથે અન્યાય: લેન્સકાર્ટમાં શિખા-તિલક હટાવવા દબાણ કરાતા કાનૂની જંગ છેડાયો
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.