Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ

H S April 21, 2023
21 ch1

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં
જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક કુપ્રથાઓ ઘર કરી બેઠી છે.
ઘણા જાતી સમુદાયોમાં સગીર છોકરા-છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરાવવામા આવે છે. જેની માઠી અસર
સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. જે બાબતે અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે જિલ્લા
સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને પહેલ કરવામાં આવી છે.

file photo


જિલ્લાના પારંપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમા ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજમાં
લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજીક આગેવાનો,
ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને
કન્યા પક્ષના બંને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા અંગે એક અખબારી
યાદીમાં જણાવાયું છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરી ના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને
છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા-
દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જો આપના વિસ્તારમાં, ગામમાં કે આપના
મહોલ્લામાં બાળ – લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક
જવાબદારી સમજી આવા બાળ લગ્નો અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હેતલબેન પરમાર સંપર્ક નં.
9099970942, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, શ્રી દિવ્યકાંતભાઈ પરમાર સંપર્ક નં. 9727373249 કાનુની
સહ પ્રોબેશન અધિકારી શ્રી વિજયભાઈ પ્રજાપતિ સંપર્ક નં. 9879024306, ઉપરાંત ચાઈલ્ડ લાઈન સંપર્ક નં.
1098, પોલીસ સંપર્ક નં. 100, અભયમ મહિલા હેલ્પ લાઈન સંપર્ક નં. 181 સંપર્ક કરવા જણાવાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર ખાતાની કામગીરીની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા
Next: “ભારત માતા કી જય” ના નાદ સાથે વેરાવળ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.