Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમદાવાદ જિલ્લાના બાગાયત નિયામકશ્રી તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી દ્વારા પ્રગતીશીલ ખેડુતની મુલાકાત

H S December 26, 2022
26 bag ain

બાગાયત નિયામકશ્રી ડૉ. પી.એમ. વઘાસીયા તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે,આર.પટેલ દ્વારા
૨૪/૧૨/૨૦૨૨ના રોજ પ્રાકૃતિક કૃષિ તથા ડ્રોન દ્વારા ખાતરના છંટકાવ માટે જુદા જુદા પ્રગતીશીલ ખેડુતોની
મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં વિરમગામ તાલુકાના શિવપુરા ગામના શ્રી આનંદભાઈ જગજીવનભાઇ પટેલના
ખેતરમાં ડ્રેગનફુટ (કમલમ)ની પ્રાકૃતિક કૃષિની ફિલ્ડ વિઝીટ કરી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ
ડ્રોન પધ્ધતિથી બાગાયતી પાકોમાં ખાતર અને દવાનો છંટકાવ કઈ રીતે કરી શકાય એનું નિદર્શન કરીને ખેડુતોને
માહિતગાર કરવામાં આવ્યાં. ખેડુતોનો સારો એવો પ્રતિભાવ જોવા મળ્યો અને ખેડુતો દ્વારા જાણવા મળ્યું કે
તેઓશ્રીએ બીજા ખેડુતો પાસેથી જે અગાઉ ડ્રોન પધ્ધતિથી દવાનો છંટકાવ કરેલ છે તેમાં સારો વિકાસ અને ઉત્પાદન
જોવા મળેલ છે. તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને નાણાંનો વ્યય ઓછો થાય છે. મજુરોના
અભાવની સમસ્યામાં પણ ડ્રોન પદ્ધતિથી મદદે આવી શકે છે. ડ્રોન પધ્ધતિનો બહોળો ઉપયોગ બાગાયતી ખેતીમાં
થશે તો આ સમસ્યાનું શતપ્રતીશત નીરાકરણ કરી શકાય. નિદર્શન દરમિયાન અંદાજે ૨૫થી ૩૦ ખેડુતો ઉપસ્થિત
રહેલ હતાં.


આ ઉપરાંત સાણંદ તાલુકાના ખોરજ ગામના જામફળ પકવતા ખેડુતશ્રી રમેશભાઈ મોરી દ્વારા જામફળની
ખેતી અંગે ખેડુતો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અન્ય ગામના ખેડુતોની ઉપસ્થિતિમાં બાગાયત
નિયામકશ્રી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક કૃષિ તથા બાગાયતની ખેતી
તરફ વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડુતો કે જેઓ હાઈ-ટેક
હોર્ટીકલ્ચરની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ અને ડ્રોનના ઉપયોગ થકી કામગીરી કરી રહ્યાં છે જેની જાણકારી મેળવવામાં
આવી હતી.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ડ્રોન ફલાઈંગ તાલીમ આપતી દેશની એક માત્ર યુનીવર્સિટી: ડૉ. અંજુ શર્મા
Next: અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.