Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

H S January 30, 2023
30 civ2

રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું….

———————————————–

૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે

કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું

——————————————————————————–

સરકાર, સમાજ અને સેવાભાવી લોકોના સહકારથી અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી

બની – સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

————————————-

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ
સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે.
રાજસ્થાન ભીલવાડાના ૩૫ વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેઓને
બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.
બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની
સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલ ના અંગોના દાન કરવાનો નિર્ણય
કર્યો હતો.


બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં
સફળતા મળી છે.
હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની
કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટે ૧૦૧ માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને

મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય
કામગીરી વેગવંતી બની છે.
આ બે વર્ષમાં ૧૦૧ અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી ૩૦૧ જરુરીયાતમંદોને
નવજીવન મળ્યું છે..

……………


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
Next: પૂ. ગાંધીજીનું જીવનદર્શન ભણીએ, જીવનમાં ઉતારીએ અને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ : શ્રી આચાર્ય દેવવ્રતજી
Follow

Recent Posts

  • ઇંધણના ભાવમાં રૂ. 3 નો વધારો: મોંઘવારી વધશે પણ ઘરગથ્થુ બજેટ પર મોટી અસર નહીં થાય
  • ટ્રમ્પની ઈરાન નીતિમાં મોટો બદલાવ: 20 વર્ષ સુધી પરમાણુ કાર્યક્રમ સ્થગિત રાખવાની શરતે વાટાઘાટો માટે આપી સંમતિ
  • ઈઝરાયલનો ગાઝામાં મોટી એરસ્ટ્રાઈક: ઓક્ટોબર 7ના માસ્ટરમાઈન્ડ અને હમાસ ચીફ હદાદને બનાવ્યો ટાર્ગેટ
  • મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના મંડાણ: ઈરાન પર હુમલા માટે અમેરિકા-ઈઝરાયલે તૈયાર કરી ટાર્ગેટ લિસ્ટ
  • ટ્રમ્પે ચીનનું અપમાન કર્યું! જિનપિંગે આપેલી કરોડોની ભેટ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.