વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિ ના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા અભિયાન ના આપેલા આહવાનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને એક તારીખ એક કલાક એક સાથ ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાન માં ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢનો ટેકરો, સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સહભાગી થયા હતા.
તેમણે રાજ્યમાં આ અભિયાન માં સૌ નાગરિકોને જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.