Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Chief Editor July 7, 2025
7-7 shya

*


આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 6 જુલાઈ ભારતના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો.
ખૂબજ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા શ્રી આશુતોષ મુખરજીના કારણે શ્યામા પ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયતા ના ઉચ્ચ સંસ્કારો હતા.

એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામા પ્રસાદ જી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા.
ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા.
વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા.
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ શ્રી મુખરજી હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા.
તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે એમ પણ શ્રી ઋષિકેશ પટેલે શ્યામા પ્રસાદજીને આદરાંજલી આપતાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: DFW ખડાયતા પરિવાર (DFWKP) પિકનિક
Next: સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા શ્રી અમિત શાહનું આહવાન
Follow

Recent Posts

  • ટ્રમ્પની ચિંતામાં વધારો: અમેરિકાનું રાષ્ટ્રીય દેવું આઝાદી પછી સૌથી ઐતિહાસિક સપાટીએ
  • તમિલનાડુમાં વિજયની TVK ને કોંગ્રેસનું સમર્થન: DMK સાથે છેડો ફાડ્યો
  • સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં 7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું 1.51 લાખને પાર
  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.