ટેક્સાસમાં ગંગાદશમી ઉજવાઇ

ટેક્સાસથી મળતા અહેવાલો અનુસાર પરમકૃપાળુ શ્રીનાથજી બાવાની કૃપાપ્રસાદ તથા પૂજ્યપાદ Goswami 108 Shri Vrajrajkumarji Mahodayashri ના પાવન આશીર્વાદથી તા. ૨૮ જૂનના રોજ શ્રીનાથધામ હવેલી, કોપેલ ખાતે ગંગા દશમી નિમિત્તે શ્રીજીબાવાની પાવન સ્નાનયાત્રા તથા નાવ મનોરથ અત્યંત ભાવપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.

આ દિવ્ય મનોરથનો લાભ અનેક વૈષ્ણવોએ ભક્તિભાવથી ગ્રહણ કર્યો. વૈષ્ણવોએ શ્રી આચાર્યચરણ અને શ્રી ઠાકોરજીના ગુણાનુવાદરૂપ કીર્તન, પદગાન તથા નામસંકીર્તન દ્વારા સમગ્ર હવેલીને ભક્તિરસથી સભર કરી દીધી. સર્વત્ર આનંદ, ઉમંગ અને દિવ્ય ભાવનાનું અલૌકિક વાતાવરણ પ્રસરી ગયું, જેના દર્શન અને લાભથી સર્વે વૈષ્ણવો ધન્ય બન્યા હતા.
