અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા તણાવને ડામવા માટે હવે રશિયાએ (Russia) પહેલ કરી છે. પાકિસ્તાન (Pakistan) ના ઈસ્લામાબાદમાં (Islamabad) યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) બંને દેશો વચ્ચે મધ્યસ્થી (Mediation) કરવાની ઓફર આપી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાને ફોન કરીને આખા વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે રશિયાની તત્પરતા વ્યક્ત કરી છે.
ઈસ્લામાબાદ (Islamabad) મંત્રણા કેમ નિષ્ફળ રહી? અમેરિકા અને ઈઝરાયેલે (Israel) 28 ફેબ્રુઆરીથી ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા, જે બાદ 8 એપ્રિલે યુદ્ધવિરામ (Ceasefire) જાહેર થયો હતો. આ યુદ્ધવિરામને કાયમી બનાવવા માટે પાકિસ્તાનમાં શનિવાર અને રવિવારે (તા. 11-12) સતત 21 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બેઠકો ચાલી હતી. જોકે, ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ (Nuclear Program) મુદ્દે વિવાદ થતા આ મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે.
ઈરાનનો અમેરિકા પર અવિશ્વાસ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે અમેરિકા ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમે ડિપ્લોમેસીમાં (Diplomacy) માનીએ છીએ, પણ દેશના અધિકારો માટે સૈન્ય લડત અને નેશનલ ડિફેન્સ (National Defense) ક્ષમતા વધારવાનું ચાલુ રાખીશું.” હવે જોવાનું એ રહેશે કે પુતિનની આ મધ્યસ્થીની ઓફર મધ્ય-પૂર્વમાં (Middle East) ફરી શાંતિ લાવી શકે છે કે નહીં.
