Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Texas માં આવેલા ભગવાન શ્રી ગોવર્ધન નાથજી મંદિર માં ભવ્ય જલેબી અન્નકૂટ ઉત્સવ

Chief Editor December 16, 2025
16 s-2 PHOTO-2025-12-15-11-13-08

Mckinney , Texas માં આવેલા ભગવાન શ્રી ગોવર્ધન નાથજી મંદિર માં ભવ્ય જલેબી અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી કરાઇ હતી. મદિર તાજેતરમાં જ ,બીજી નવેમ્બર માં જ ખુલ્લા મુકાયેલા યમુના નિકુંજ- , શ્રી ગોવર્ધન નાથજી મંદિર માં છેલ્લા દોઢ માસમાં આંઠ કરતાં વધુ , વખત સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ભવ્ય તુલસીવિવાહ સાથે ઠાકોરજીના પ્રથમ દર્શન , શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય મહાઉત્સવ , Thanksgivingનો રજાનો દિવસ હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, શ્રી યમુનાષ્ટકના અખંડ પાઠ, 41 પદ નું પઠન , કિર્તન , ભજન સુર સંધ્યા, શ્રીનાથજી ચરિત્રામૃત કથા વાર્તા વાંચન, સાથે નિયમિત થતા એકાદશીના સત્સંગ યોજાયા હતા. તા,13, ડિસેમ્બરે વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઈજીના પ્રાગટ્ય દિને ભવ્ય જલેબી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં દૂર દૂરથી વૈષ્ણવો વિશાળ સંખ્યામાં આવ્યા હતા.
મંદિરમાં બિરાજતા ઠાકોરજીની સન્મુખ ચારે બાજુ જલેબીની છાબો, અદભુત શ્રીંગાર અને મુખ્યાજી ના શ્રીહસ્તે પ્રથમ દિવ્ય આરતીનો વૈષ્ણવોએ લાભ લીધો હતો. સાથે ભજન , કીર્તન, ગરબા અને જલેબીની પ્રસાદી સાથે ભાવ વિભોર થઇ વૈષ્ણવોએ આનંદ માણ્યો .

 


આ મંદિરની વિશેષતા માં ,મુખ્ય પ્રવેશદ્વાર પાસે દિવાલ ઉપર ગિરિકંદરામાંથી પ્રગટ થયેલ શ્રી ગોવર્ધનનાથજી નું હાથેથી પેઇન્ટ કરાયેલ ચિત્રજી , મંદિરના નિજ દ્વાર પર અષ્ટસખા , અને યમુનાષ્ટકના બધાજ શ્લોકના વર્ણન કરતાહાથેથી પેઇન્ટ કરેલા ચિત્રજી, બહાર વિશાળ જગ્યામાં ભવિષ્યમાં તૈયાર થનાર શ્રી ગિરિગોવર્ધન,- ગિરિરાજજી વૈષ્ણવોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે .અહીં પુષ્ટિમાર્ગના દરેક ઉત્સવ, સત્સંગ જે દિવસે આવે તે દિવસે જ ઉજવવામાં આવે છે, જે પ્રણાલિકા છેલ્લા ચાલીસ વર્ષથી વૈષ્ણવ મિલને જાળવી રાખેલ છે . આગામી મકરસંક્રાંતિએ પાર્કમાં પતંગોત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે.

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Ram Mandir આંદોલનના પ્રમુખ સૂત્રધાર, પૂર્વ સાંસદ અને સંત ડો. રામવિલાસ વેદાંતીનું નિધન
Next: કમોસમી વરસાદના નુકસાન સામે ખેડૂતોને રૂ. 6,805 કરોડની સહાય ચૂકવાઈ
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.