US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East)માં વધી રહેલા તણાવની સીધી અસર હવે ભારતના દરિયાઈ વ્યાપાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ગુજરાતના કંડલા બંદર (Kandla Port) તરફ આવી રહેલા એક થાઈ કાર્ગો જહાજ પર ઈરાન (Iran) દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 2 ભારતીયોના મોત થતા ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 11 માર્ચના રોજ થાઈલેન્ડના ‘મયુરી નારી’ (Mayuri Nari) જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ UAE ના ખલીફા બંદરથી ગુજરાત આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે થયેલા આ હુમલા બાદ રોયલ થાઈ નેવી (Royal Thai Navy) એ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે 3 સભ્યો હજુ પણ ગુમ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વાણિજ્યિક જહાજો (Commercial Vessels) પરના આવા હુમલા ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2 ભારતીયોના મોત થયા છે.
ગલ્ફ દેશોમાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં વધતી અસ્થિરતાથી વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) પર પણ જોખમ ઊભું થયું છે.
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Energy and Petrochemicals Department) ના અનુદાનોની…
12 માર્ચ (12 March), 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી ઐતિહાસિક દાંડીકૂચ (Dandi March) એ…
પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં LPG સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની…
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં એ પ્રસ્તાવને સ્પોન્સર (Sponsor) કર્યો છે, જેમાં ગલ્ફ…
X Fake Accounts Suspended: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) દ્વારા છેલ્લા 12 મહિનામાં આશરે…
UPI Shake & Pay Feature: ઘણીવાર ઉતાવળમાં પેમેન્ટ (Payment) કરવાનું હોય ત્યારે UPI એપ ખોલવી,…