ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની ફાઈનલ મેચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. આ મહામુકાબલા પહેલા બંને ટીમોના કેપ્ટનો (Captains) વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે (Mitchell Santner) ભારતીય ટીમ અંગે કડક નિવેદન આપ્યું હતું, જેનો હવે સૂર્યાએ પ્રતિક્રિયા આપી છે.
સેન્ટનરે કહ્યું હતું કે તેમની ટીમ અમદાવાદમાં ભારતીય પ્રેક્ષકોને શાંત કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો આવવાની આશા છે, જેમને ભારતનો 12th મેન માનવામાં આવે છે. આ બાબતે સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) હસતા હસતા કહ્યું કે, “દરેક વ્યક્તિ આ જ લાઈન બોલી રહી છે, તેમણે કંઈક નવું ટ્રાય કરવું જોઈએ”.
ટીમ ઇન્ડિયા (Team India) ઉત્સાહમાં: ભારતીય કેપ્ટને જણાવ્યું કે હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર ફાઈનલ રમવી એ ખાસ ક્ષણ છે અને ડ્રેસિંગ રૂમ (Dressing Room) નું વાતાવરણ સકારાત્મક છે. ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.
ભારત પર દબાણ હશે – સેન્ટનર: મિચેલ સેન્ટનરનું માનવું છે કે 1 લાખ દર્શકોની સામે રમાનારી આ ફાઈનલમાં દબાણ (Pressure) ભારત પર વધુ હશે, કારણ કે તેઓ પોતાના ઘરે ટાઈટલ (Title) બચાવવા ઉતરશે. આ મહામુકાબલો સાંજે 7 (7 PM) વાગ્યે શરૂ થશે.
