Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

EVM-VVPAT, મતદાન મથકો, પોસ્ટલ બેલેટ, પોલીંગ સ્ટાફ, ખર્ચ નિરિક્ષણ અને આદર્શ આચારસંહિતા સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી

Chief Editor January 20, 2024
20 ele3

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો

21-1

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો બે દિવસીય વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં EVM-VVPAT , મતદાન મથકો, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી.

ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે ચૂંટણી વ્યવસ્થા સાથે સંલગ્ન તાલીમબદ્ધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાયાનું અંગ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે ઘડવામાં આવેલા નિયમો અને તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંલગ્ન કર્મચારી/અધિકારીગણ સુપરિચિત થાય તે જરૂરી છે. જેને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સ માટે બે તબક્કામાં બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો.

ગત તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ જિલ્લાના ૩૬ અધિકારીશ્રીઓ તથા તા. ૧૯ અને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૬ જિલ્લાના ૩૬ અધિકારીઓ એમ કુલ બે બેચ મળી રાજ્યભરના તમામ જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્કશૉપમાં EVM-VVPATના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, પોસ્ટ બેલેટ, આઈ.ટી. ઍપ્લિકેશન્સ, ખર્ચ નિરિક્ષણ અને આદર્શ આચારસંહિતા સહિતના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ વર્કશૉપમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સમક્ષ બૂથ લેવલ ઑફિસર, પ્રિસાઈડિંગ ઑફિસર, સેક્ટર ઑફિસર તથા માઈક્રો ઑબ્ઝર્વર્સે બજાવવાની ફરજો અને તકેદારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ દ્વારા જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સિધ્ધપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, સિધ્ધપુર દ્વારા પૂજ્યશ્રી કુ. દિપાલી દીદીના સાનિધ્યમાં આયોજીત શ્રી રામ કથા
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ
Follow

Recent Posts

  • ફિનલેન્ડમાં રેકોર્ડબ્રેક નાગરિકતાની મંજૂરી, ફેમિલી વિઝા મેળવવામાં ભારતીયો મોખરે
  • દક્ષિણ કોરિયાએ વિદેશી શ્રમિકોના અધિકારોની રક્ષા માટે નવી ટીમની રચના કરી
  • અમેરિકન ડ્રીમમાં તિરાડ: ટેક પ્રોફેશનલ્સની ઘરવાપસી સાથે ભારતમાં ‘બ્રેઈન-ગેઈન’ યુગની શરૂઆત
  • લગ્નના ગણતરીના કલાકોમાં જ ભારતીય મૂળના પાયલટનું અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત, દુલ્હનનો આબાદ બચાવ
  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.