China Grain Hoarding | અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ ગઈ છે. આ કટોકટીનો ગેરફાયદો ઉઠાવી ચીન ગુપ્ત રીતે અનાજ અને ખાતરનો મોટો જથ્થો એકઠો કરી રહ્યું હોવાના અહેવાલ છે.
વર્લ્ડ બેંક (World Bank) ના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે (David Malpass) ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ ભંડાર ઉભો કરી રહ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે.
ભારત પર અસર: ચીનના આ પગલાની સીધી અસર ભારત પર જોવા મળી રહી છે. ચીને માર્ચ મહિનાથી ખાતરની નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો છે. પરિણામે, યુરિયાની કિંમત (Urea Price) જે અગાઉ 512 ડોલર પ્રતિ ટન હતી, તે વધીને 959 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. ભારત ખાતર માટે હવે બમણી કિંમત ચૂકવી રહ્યું છે, જેની સીધી અસર ખેતીના ખર્ચ અને સામાન્ય જનતાની થાળી પર પડશે.
શા માટે જમાખોરી? નિષ્ણાતોના મતે, ઈરાન સાથેના યુદ્ધના લીધે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) બંધ થતા દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીન આ સ્થિતિમાં પોતાના દેશમાં દુકાળ ન પડે તે માટે સ્ટોક કરી રહ્યું છે. સાથે જ, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીજવસ્તુઓના ભાવ વધારીને ચીન મોટો નફો કમાવવા અને અન્ય દેશો પર દબાણ લાવવાની રણનીતિ (Strategy) અપનાવી રહ્યું છે.
હાલમાં વિશ્વની નજર બેઇજિંગમાં યોજાનારી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને શી જિનપિંગની સમિટ (Summit) પર ટકેલી છે, જ્યાં આ જમાખોરી અટકાવવા અંગે ચર્ચા થઈ શકે છે.
