BRICS Meeting | ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) મધ્ય પૂર્વ સંકટ (Middle East Crisis) અને વૈશ્વિક સુરક્ષા અંગે ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.
આ બેઠકમાં ઈરાન (Iran) અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના પ્રતિનિધિઓની હાજરીમાં ભારતે દરિયાઈ સુરક્ષા (Maritime Security) અને ઊર્જા પુરવઠા (Energy Supply) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને રેડ સી (Red Sea) જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા સુરક્ષિત પ્રવાહ વૈશ્વિક આર્થિક સુખાકારી માટે અત્યંત આવશ્યક છે.
એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વિવાદનો અંત હિંસાથી નહીં, પરંતુ માત્ર પરસ્પર વાતચીત અને સાચી કૂટનીતિ (Diplomacy) દ્વારા જ લાવી શકાય છે. આ બેઠક દરમિયાન ઈરાન અને UAE વચ્ચે ઊર્જા માળખા પર થયેલા હુમલાઓને લઈને તીવ્ર મતભેદો જોવા મળ્યા હતા.
જેમાં રશિયાના (Russia) વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે (Sergey Lavrov) હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ (Sayyid Abbas Araghchi) અમેરિકા અને ઈઝરાયલ સામે બ્રિક્સ દેશોને અપીલ કરી હતી.
બીજી તરફ, પીએમ મોદી (PM Modi) શુક્રવારથી તેમની ચાર યુરોપિયન દેશોની મુલાકાત શરૂ કરી રહ્યા છે, જેમાં પ્રથમ દેશ UAE હશે. UAE ભારતનું વિશ્વસનીય ઊર્જા ભાગીદાર (Energy Partner) રહ્યું છે અને પીએમ મોદીની આ 8મી UAE મુલાકાત હશે.
બ્રિક્સ હવે 11 મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ બની ગયું છે, જે વિશ્વની અંદાજે 49.5% વસ્તી, 40% જીડીપી (GDP) અને 26% વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત બ્રિક્સને વધુ મજબૂત અને બદલાતી પરિસ્થિતિઓ મુજબ અનુકૂલન સાધનારું સંગઠન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી કેલગરી ( આલ્બર્ટા ) ના જય…
'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…
અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…
Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…
લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…