Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

Maharashtra: અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસનું અણધાર્યું ગઠબંધન: શિંદે જૂથને ઝટકો

Chief Editor January 7, 2026
Maharashtra BJP-Congress Alliance Ambernath

Maharashtra BJP-Congress Alliance Ambernath | મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ફરી એકવાર અણધાર્યો વળાંક આવ્યો છે. થાણે જિલ્લાની અંબરનાથ નગર પરિષદ (Ambernath Municipal Council) માં સત્તા મેળવવા માટે ‘કોંગ્રેસ-મુક્ત ભારત’નો નારો આપનારી ભાજપે (BJP) પરંપરાગત હરીફ કોંગ્રેસ (Congress) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના (Shiv Sena – Shinde Group) ને મોટો આંચકો લાગ્યો છે.

‘અંબરનાથ વિકાસ અઘાડી’નું નિર્માણ: સત્તા માટે નવા સમીકરણો

Maharashtravના મુંબઈની અંબરનાથમાં સત્તાના સમીકરણો બદલવા માટે ભાજપે કોંગ્રેસ અને અજિત પવારની એનસીપી (NCP – Ajit Pawar faction) સાથે મળીને ‘અંબરનાથ વિકાસ અઘાડી’ (Ambernath Vikas Aghadi) નામે નવું ગઠબંધન રચ્યું છે. આ ગઠબંધન પાસે કુલ 32 કાઉન્સિલરો (Councilors) નું સમર્થન છે, જેમાં:

ભાજપ: 14 કાઉન્સિલરો

કોંગ્રેસ: 12 કાઉન્સિલરો

એનસીપી (અજિત પવાર): 4 કાઉન્સિલરો

આ બહુમતીના જોરે ભાજપના તેજશ્રી કરંજુલ અંબરનાથ નગર પરિષદના મેયર (Mayor) તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે શિંદે જૂથને વિપક્ષ (Opposition) માં બેસવાનો વારો આવ્યો છે.

શિંદે જૂથના ભાજપ પર આકરા પ્રહારો
આ ગઠબંધનથી નારાજ શિંદે જૂથના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકરે ભાજપના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આને ‘અભદ્ર ગઠબંધન’ (Unholy Alliance) ગણાવતા કહ્યું કે, “એક તરફ ભાજપ કોંગ્રેસ-મુક્ત ભારતની વાત કરે છે અને બીજી તરફ સત્તાની લાલચમાં તેમની સાથે જ હાથ મિલાવે છે. આ પીઠમાં છરો ભોંકવા સમાન છે.”

સાંસદ શ્રીકાંત શિંદેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ગઠબંધનનો જવાબ ભાજપના નેતાઓએ જ આપવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ભલે ‘મહાયુતિ’ (Mahayuti Alliance) હોય, પરંતુ સ્થાનિક સ્તરે થયેલા આ ખેલથી તિરાડ પડવાની શક્યતા છે.

ભાજપે કર્યો પલટવાર
સામે પક્ષે ભાજપના ઉપાધ્યક્ષ ગુલાબરાવ કરંજુલ પાટીલે આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, શિંદે જૂથ છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં લુપ્ત હતું. વારંવાર ચર્ચાઓ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શહેરના વિકાસ માટે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

અંબરનાથની આ ઘટનાએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Vidhansabha) અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પહેલા રાજકીય ગરમાવો વધારી દીધો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ajit Pawar (અજિત પવાર) BJP (બીજેપી) Congress (કોંગ્રેસ) Eknath Shinde (એકનાથ શિંદે) Maharashtra (મહારાષ્ટ્ર) Political News (રાજકારણના સમાચાર)

Post navigation

Previous: તાલાલામાં આઈસર, બાઈક અને છકડા વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાકા-ભત્રીજા સહિત 3ના મોત
Next: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹5000 અને સોનું ₹1100 તૂટ્યું
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.