અમરેલી (Amreli) જિલ્લાની મુલાકાત દરમિયાન લાઠી તાલુકાના મતીરાળા ખાતે રાજ્ય સરકાર (State Government) અને ધોળકિયા ફાઉન્ડેશનના (Dholakia Foundation) સહિયારા પ્રયાસોથી પીપરિયા (ઝમકુડી) નદીના પુનર્જીવન પ્રકલ્પનું (River Rejuvenation Project) ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
લોકભાગીદારી (Public Participation) દ્વારા સાકાર થનાર આ પ્રોજેક્ટ અંતર્ગત મતીરાળાથી કૃષ્ણગઢ સુધીના 9.6 કિમી વિસ્તારમાં નદીને ઊંડી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભગીરથ કાર્યથી પાણીનો સંગ્રહ (Water Storage) વધશે અને આસપાસના ગામોના ખેડૂતોને (Farmers) સિંચાઈનો સીધો લાભ મળશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં ‘કેચ ધ રેન’ (Catch the Rain) અભિયાન એક જનઆંદોલન બની રહ્યું છે. આપણે સૌએ પાણીને ભગવાનનો પ્રસાદ માની તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. જો આપણે આજથી જ જળસંચયની (Water Conservation) તૈયારી કરીશું, તો જ આવતીકાલની પેઢીને સુરક્ષિત ભવિષ્ય અને જળસમૃદ્ધિનો અમૂલ્ય વારસો આપી શકીશું.
જળસંચયની સાથે સાથે સૌ ધરતીપુત્રોને ખેતી સમૃદ્ધ બનાવવા તેમજ નિરોગી જીવન માટે પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવાનું આહ્વાન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
વોશિંગ્ટન: એક તરફ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સતત ઈરાનને ધમકી આપીને મિડલ…
NEET Exam Paper Leak: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક નવી અરજી દાખલ કરીને NEET-UG પરીક્ષાને…
IMD Heatwave Alert | દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમીએ કડોકો વર્તાવ્યો છે. ભારતીય હવામાન વિભાગના (IMD)…
West Bengal Election | પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) ભલે માત્ર કેરળમાં જીત મેળવી…
Surat BJP Leader Murder | સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી…
Kerala CM Oath Ceremony | કેરળ વિધાનસભા ચૂંટણી (Kerala Assembly Election 2026)માં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)…