Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Video : જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે

Chief Editor July 31, 2025
J&K CM Omar Abdullah pays courtesy visit to CM Bhupendra Patel

  • આજે ગાંધીનગર આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરની મુલાકાત લેશે
  • કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો ઉમર અબ્દુલ્લાનો પ્રયાસ
  • ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે બેઠક કરશે

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે રાજ્ય સંબંધી વિકાસાત્મક મુદ્દાઓ અને આંતરરાજ્ય સહકાર પર ઔપચારિક ચર્ચા થઈ હતી.

Join Our WhatsApp Group

ઓમર અબ્દુલ્લાહ હાલમાં દ્વિ-દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુરુવારે બપોરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમના પ્રવાસનો હેતુ ગુજરાતના વિવિધ વિકાસ મોડેલોનો અભ્યાસ કરવો તથા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનો છે.

જમ્મૂ-કાશ્મીરના પર્યટનને વેગ આપવા માટે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહલગામમાં થયેલા હુમલા બાદ ઘટેલી પ્રવાસીઓની સંખ્યાને ફરીથી વધારવાનો છે.

ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી જીવંત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉમર અબ્દુલ્લા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.

તેમણે જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષથી જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન શરૂ થયું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ હંમેશા ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો રહ્યા છે. ગુજરાતના લોકો ફરીથી મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું શરૂ કરશે.

પહલગામ હુમલા પર તેમણે કહ્યું કે સંસદમાં ઘણી બાબતો પર ચર્ચા થવી જોઈએ અને કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે જો પહલગામ હુમલો ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી, તો તેના માટે કોઈ જવાબદાર છે. તેમણે એ પણ જણાવ્યું કે આ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) Gujarat (ગુજરાત) Jammu and Kashmir (જમ્મુ અને કાશ્મીર) Omar Abdullah (ઓમર અબ્દુલ્લા) Pahalgam Attack (પહેલગામ હુમલો)

Post navigation

Previous: CM ભૂપેન્દ્ર પટેલે 1.74 લાખ કરોડના 32 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
Next: બાવળામાં પાણીમાં કૂદીને આપઘાત કરવા જતી મહિલાને પોલીસે બચાવી
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.