Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Video : જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે

Chief Editor July 31, 2025
J&K CM Omar Abdullah pays courtesy visit to CM Bhupendra Patel

  • આજે ગાંધીનગર આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરની મુલાકાત લેશે
  • કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો ઉમર અબ્દુલ્લાનો પ્રયાસ
  • ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે બેઠક કરશે

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે રાજ્ય સંબંધી વિકાસાત્મક મુદ્દાઓ અને આંતરરાજ્ય સહકાર પર ઔપચારિક ચર્ચા થઈ હતી.

ઓમર અબ્દુલ્લાહ હાલમાં દ્વિ-દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુરુવારે બપોરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમના પ્રવાસનો હેતુ ગુજરાતના વિવિધ વિકાસ મોડેલોનો અભ્યાસ કરવો તથા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનો છે.

જમ્મૂ-કાશ્મીરના પર્યટનને વેગ આપવા માટે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહલગામમાં થયેલા હુમલા બાદ ઘટેલી પ્રવાસીઓની સંખ્યાને ફરીથી વધારવાનો છે.

ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી જીવંત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉમર અબ્દુલ્લા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.

તેમણે જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષથી જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન શરૂ થયું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ હંમેશા ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો રહ્યા છે. ગુજરાતના લોકો ફરીથી મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું શરૂ કરશે.

પહલગામ હુમલા પર તેમણે કહ્યું કે સંસદમાં ઘણી બાબતો પર ચર્ચા થવી જોઈએ અને કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે જો પહલગામ હુમલો ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી, તો તેના માટે કોઈ જવાબદાર છે. તેમણે એ પણ જણાવ્યું કે આ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) Gujarat (ગુજરાત) Jammu and Kashmir (જમ્મુ અને કાશ્મીર) Omar Abdullah (ઓમર અબ્દુલ્લા) Pahalgam Attack (પહેલગામ હુમલો)

Post navigation

Previous: CM ભૂપેન્દ્ર પટેલે 1.74 લાખ કરોડના 32 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
Next: બાવળામાં પાણીમાં કૂદીને આપઘાત કરવા જતી મહિલાને પોલીસે બચાવી
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.