Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

‘બેનસનવીલ’ ટાઉનમાં ‘મધર્સ ડે’ ની ઉજવણી

Chief Editor May 11, 2026
11-5 Us1
મે ૯ ના રોજ શિકાગોની નજીકમાં આવેલા ‘બેનસનવીલ’ ટાઉનમાં આવેલા માનવ સેવા મંદિરના હોલ માં ISC લગભગ ૩૮૦ સભ્યોની હાજરીમાં  ‘મધર્સ ડે’ અને  ગુજરાત ડે ની કરેલ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. મીટીંગની શરુઆત પન્નાબેન શાહ તેમજ ભુપેન્દ્ર સુથાર દ્વારા કરવામાં આવેલ. મે મહિનામાં જે સભ્યોની બર્થ ડે આવતી  હોવાથી ગીતા બેન સુથાર સાથે ગણેશ સ્તુતિ, સર્વ ધર્મ પ્રાર્થના, હનુમાન ચાલીસા, તેમજ જન્મ દિવસ ઉજવણી રૂપે ‘બાર બાર દિન યે ‘ ગીત ગાઈને  આજના અતિથિ વીશેષ સરોજ પટેલ અને ડાહ્યાભાઇ પટેલ દ્વારા પુષ્પ ગુંચ આપી શુભેછાઓ આપવામાં આવેલ.
       ત્યારબાદ ઉમાબેન દેસાઇએ યોગાસનો નું નિરદર્શન કરાવેલ. ISC ટ્રેજરર હેમંત મોદી દ્વારા એપ્રિલ માસનો આવક જાવક નો હિસાબ તથા ડોનેસન આપનાર દાતાઓના નામ  જાહેર કરેલ. આજના લંચના સ્પોન્સર દિલીપભાઇ પટેલ – લીના પટેલ,સતીશ પરીખ- દક્ષા પરીખ, નવીનભાઈ-કોકિલાબેન પટેલ,નૈષધ ભાઈ-જાગૃતિ, યોગેન્દ્ર દલાલ,હર્ષા,હશમુખ ભાઈ, અરુણા, ધીરેન પવાર, જયશ્રી, ચંદ્રકાંત ગાંધી,વિજય ભાઈ પટેલ, જ્યોતિ તેમજ મીઠાઈના સ્પોન્સર સરોજબેન ડાહ્યાભાઇ પટેલનું અભિવાદન ISCના પ્રમુખ કાંતિભાઈ પટેલે ફૂલહાર થી કર્યું હતું. જયારે ગુજરાત સ્થાપના ઉજવણી માટે અશ્વિન ઠક્કર, અરવિંદ મોદી, પુષ્પા પારેખ, પ્રવીણ ગાંધી, તરલા બેને  ગીતો રજુ કરેલ.
         પન્નાબેન શાહે મધર ડે નિમિતે ૧૨ બહેનોનું ગુલાબના ફૂલ અને મીઠાઇ બોક્સ આપી બહુમાન કરવામાં આવેલ. ભદ્રા શાહે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત ગાયેલ. દર વર્ષે ની માફક ‘મધર્સ ડે’ નિમિતે ચિત્ર કલાનું પ્રદર્શનમાં ૧૨ ભાઈ બહેનો ની કલા કૃતિ ઓ રજુ કરવામાં આવેલ. ‘વરદાન’ સંસ્થાના ગૌરી મઘાતી, ડૉ ભારદ્વાજ દેસાઇ તથા મુરલીધર નો પરિચય ISC પ્રમુખ કાંતિભાઈ પટેલે આપેલ અને ડૉ ભારદ્વાજ દેસાઇ તથા મુરલીધરે ‘વરદાન’ એપ વિષે જણાવ્યું કે સિનિયરો માટે સ્વતંત્ર જીવન જીવવા માટે તેમજ કોઈ પણ ઇમરજન્સી માં ‘વરદાન એપ’ અતિશય ઉપયોગી નીવડે છે. આ એપ થી ડોક્ટર્સ, કુટુંબીજનો, સાથે સંપર્કમાં રહી શકાય છે.
      અંતમાં ISC ના ઉપપ્રમુખ નવીનભાઈ પટેલે લંચ વ્યવસ્થા વધુ સરળ બનાવવા માટે સભ્યોને સમયસર RSVP કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સૌ એ સામૂહિક પ્રાર્થના કરી ભોજનનો આનંદ માણી સૌ એ વિદાય લીધી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 71માં રેલવે સપ્તાહ: અમદાવાદ મંડળે જીત્યા 7 કુશળતા શીલ્ડ
Follow

Recent Posts

  • ‘બેનસનવીલ’ ટાઉનમાં ‘મધર્સ ડે’ ની ઉજવણી
  • 71માં રેલવે સપ્તાહ: અમદાવાદ મંડળે જીત્યા 7 કુશળતા શીલ્ડ
  • 11 મે 2026થી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનની શરૂઆત
  • સોમનાથ અમૃતપર્વ-2026
  • Redmi K100 સીરીઝ: 10,000mAh બેટરી અને 2K ડિસ્પ્લે ફીચર્સ સાથે આવશે
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.