77th Republic Day 2026 | ભારત 26 જાન્યુઆરી, 2026ના રોજ ગર્વભેર તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ વર્ષની ઉજવણી અનેક રીતે ઐતિહાસિક અને ખાસ રહેવાની છે. 1950માં આ જ દિવસે ભારતનું બંધારણ (Constitution) અમલમાં આવ્યું હતું, જેણે દેશને સાર્વભૌમ લોકશાહી તરીકે પ્રસ્થાપિત કર્યો હતો.
વર્ષ 2026 ની વિશેષ થીમ અને આકર્ષણ
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની મુખ્ય થીમ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ ની ઉજવણી પર આધારિત છે.
થીમ: ‘સ્વતંત્રતાનો મંત્ર – વંદે માતરમ’ અને ‘સમૃદ્ધિનો મંત્ર – આત્મનિર્ભર ભારત’.
ઝાંખીઓ (Tableaux): કર્તવ્ય પથ (Kartavya Path) પર કુલ 30 ઝાંખીઓ પ્રદર્શિત થશે, જેમાં સાંસ્કૃતિક વારસો અને આધુનિક ભારતની ઝલક જોવા મળશે.
નવીન પ્રયોગ: આર્મી પ્રથમ વખત ‘બેટલ એરે ફોર્મેટ’ (Battle Array Format) માં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.
મુખ્ય મહેમાન (Chief Guest)
કૂટનીતિક દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વનું છે કારણ કે આ વખતે બે મુખ્ય મહેમાનો હાજરી આપશે:
ઉર્સુલા વોન ડેર લેયેન: યુરોપિયન કમિશનના પ્રમુખ.
એન્ટોનિયો કોસ્ટા: યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ. આ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મજબૂત થતા વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે.
26 જાન્યુઆરીનું જ કેમ છે મહત્વ?
ઐતિહાસિક રીતે, 26 જાન્યુઆરી, 1930ના રોજ કોંગ્રેસ દ્વારા ‘પૂર્ણ સ્વરાજ’ ની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદગાર દિવસના માનમાં જ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી.
પરેડના રસપ્રદ તથ્યો
પ્રથમ પ્રજાસત્તાક દિવસ 1950માં ઉજવાયો હતો અને તેના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો હતા.
2026માં પરેડમાં 29 લડાયક વિમાનો (Fighter Jets) દ્વારા ભવ્ય ફ્લાયપાસ્ટ યોજાશે.
આ કાર્યક્રમનું સમાપન 29 જાન્યુઆરીએ વિજય ચોક ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’ (Beating Retreat) સેરેમની સાથે થશે.
ભારત માટે 2026નો પ્રજાસત્તાક દિવસ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) ના વિઝનને દુનિયા સમક્ષ રજૂ કરવાનો અવસર છે.
