Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદમાં મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં સહભાગી બની

Chief Editor December 5, 2025
Muslim women participate in yoga practice camp in Ahmedabad

Muslim women participate in yoga practice camp in Ahmedabad

અમદાવાદ: સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, એ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે અમદાવાદમાં મુસ્લિમ મહિલાઓએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને કોમી એકતાના વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી, તે સંદેશ આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને એક નવી ઊંચાઈ આપી રહ્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંકુચિત મનના લોકો જ ‘આ મારું કે પારકું’ ગણે છે, પરંતુ ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે. મુસ્લિમ મહિલાઓની આ સહભાગિતા એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર, માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ કોઈ એક ધર્મ કે સમુદાયનો ઈજારો નથી, પરંતુ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના દરેક નાગરિકને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને વેગ આપવાના ભાગરૂપે આ કેમ્પનું આયોજન થયું હતું. મુસ્લિમ મહિલાઓએ મેદસ્વિતા નિવારણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપ્યો છે.  શીશપાલજીએ ઉમેર્યું હતું કે, યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવી એકતાના તાંતણે બાંધે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો
Next: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.