હોળાષ્ટક (Holashtak): હોળીના તહેવારના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર, ફાગણ સુદ આઠમથી લઈને હોલિકા દહન સુધીના આ સમયગાળામાં તમામ માંગલિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ (Ban) હોય છે. વર્ષ 2026 માં હોળાષ્ટકની શરૂઆત 24 ફેબ્રુઆરી થી થવા જઈ રહી છે.
હોળાષ્ટકની મુખ્ય તિથિઓ
વર્ષ 2026 માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરી ના રોજ સવારે 07:03 વાગ્યાથી શરૂ થશે. આ 8 દિવસોમાં નીચે મુજબના મહત્વના પર્વો પણ આવશે:
24 ફેબ્રુઆરી: હોળાષ્ટકનો પ્રારંભ (Holashtak Start)
27 ફેબ્રુઆરી: આમલકી એકાદશી અને રંગભરી એકાદશી
28 ફેબ્રુઆરી: નૃસિંહ દ્વાદશી
1 માર્ચ: પ્રદોષ વ્રત
2 માર્ચ: હોલિકા દહન (ભદ્રા સમાપ્ત થયા બાદ રાત્રે)
કયા કાર્યો કરવા પર મનાઈ હોય છે?
હોળાષ્ટક દરમિયાન નકારાત્મકતા (Negativity) વધુ હોવાથી શાસ્ત્રોમાં 16 સંસ્કારો કરવાની મનાઈ છે. જેમાં મુખ્યત્વે:
લગ્ન સંસ્કાર (Marriage)
જનોઈ સંસ્કાર (Thread Ceremony)
નામકરણ સંસ્કાર (Naming Ceremony)
ગૃહ પ્રવેશ અને મુંડન સંસ્કાર
શા માટે હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે? (Reason for Holashtak)
ધાર્મિક માન્યતાઓ મુજબ, હોળાષ્ટક અશુભ હોવા પાછળ મુખ્ય બે પૌરાણિક કારણો છે:
કામદેવનું દહન: હોળાષ્ટકના પ્રથમ દિવસે જ ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ (Destroyed) કર્યા હતા.
ભક્ત પ્રહલાદની પીડા: હિરણ્યકશ્યપે પોતાના પુત્ર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે આ 8 દિવસોમાં અસહ્ય યાતનાઓ આપી હતી. પ્રહલાદને યાતના આપવાના આ દિવસો હોવાથી તેને માંગલિક કાર્યો માટે અશુભ ગણવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ જેવા આઠ ગ્રહો ઉગ્ર સ્વરૂપમાં હોય છે, જેની માનવ જીવન પર પ્રતિકૂળ અસર પડે છે.
ડિસ્ક્લેમર: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. વધુ વિગતવાર માહિતી માટે નિષ્ણાત જ્યોતિષી કે પંડિતની સલાહ લેવી જરૂરી છે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…