NRI

‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ

ટેક્સાસમાં બાળકો અને યુવાનોમાં પુષ્ટિમાર્ગીય સંસ્કારનું સિંચન: ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ

ડલ્લાસ-ફોર્ટ વર્થ (DFW), ટેક્સાસ:

શ્રી ગોવર્ધનનાથજી મંદિર – ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા જય શ્રીકૃષ્ણ અને શ્રી યમુના મહારાણીની કૃપા તેમ જ શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી પુષ્ટિમાર્ગીય શિક્ષણ અને સંસ્કારની એક નવી આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બાળકો અને યુવાનોમાં શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરાગ, સેવા-ભાવ, ગુજરાતી ભાષા અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી તાજેતરમાં ‘પુષ્ટિ બાલ મિલન – વ્રજ વિહાર સમર શિબિર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં બાળકો અને વાલીઓ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, સંસ્થા દ્વારા DFW (ડલ્લાસ-ફોર્ટ વર્થ) વિસ્તારમાં તમામ વયજૂથ માટેના પ્રથમ પુષ્ટિમાર્ગીય શિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોને સમજવા, જીવનમાં ઉતારવા અને આવનારી પેઢી સુધી તેને પહોંચાડવાનો છે.

વયજૂથ મુજબના વિવિધ કાર્યક્રમો

 

આ શિક્ષણ કેન્દ્ર ખાતે દરેક વયના શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે:

  • બાળકો માટે: ગુજરાતી ભાષાનું જ્ઞાન, શ્લોકગાન, પુષ્ટિ શિક્ષણ, સેવા-ભાવ, યોગ અને નૈતિક સંસ્કારોનું ઘડતર.

  • યુવાનો માટે: પુષ્ટિ સિદ્ધાંતોની ગહન સમઝ, શ્રીકૃષ્ણ સાથે આત્મિક સંબંધ અને આધ્યાત્મિક માર્ગદર્શન.

  • વયસ્કો અને વડીલો માટે: પુષ્ટિ ગ્રંથો અને ગીતાજીનું જ્ઞાન, સેવા-સંસ્કાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ઉત્સવોની ઉજવણી.

૯મી ઓગસ્ટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન

 

આ નવી યાત્રાના પ્રારંભ રૂપે એક ખાસ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ: ૯ ઓગસ્ટ

સમય: બપોરે ૪:૩૦ થી પ:૩૦

આ કાર્યક્રમ દરમિયાન વર્ગો, વિવિધ વયજૂથના અભ્યાસક્રમ અને સમયપત્રક (ટાઇમટેબલ) અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ વાલીઓને સમયસર નોંધણી (Registration) પૂર્ણ કરી ઓરિએન્ટેશનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસના ટ્રસ્ટીઓ અને આયોજકોએ તમામ વૈષ્ણવ પરિકરનો આભાર માનતા જણાવ્યું હતું કે, “આપણી આગામી પેઢીને શ્રીકૃષ્ણ સાથે અને આપણા પુષ્ટિમાર્ગીય સંસ્કારો સાથે જોડવાના આ પવિત્ર કાર્યમાં સૌનો સહકાર સદા વંદનીય છે.”

Chief Editor

Recent Posts

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…

4 hours ago

નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ

Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…

1 day ago

અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો

US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…

1 day ago

‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન

Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…

1 day ago

આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?

Army Chief Russia Visit | ભારતીય થલસેના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ધિરજ સેથનો રશિયાનો ત્રણ…

1 day ago

બાંગ્લાદેશે શેખ હસીનાના કાર્યકાળમાં ભારત સાથે થયેલા 101 કરારની સમીક્ષા શરૂ કરી

India Bangladesh MoU | બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકારે ભારત સાથે અગાઉ શેખ હસીના કાર્યકાળ દરમિયાન…

1 day ago