
શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ હવેલી, કોપેલમાં ફેબ્રુઆરી ૮ના રોજ વસંત પંચમી એવમ શ્રીનાથજી પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ. ઘણા વૈષ્ણવો એમાં લાભાનિમિત્ત થયા. વૈષ્ણવો એ ખૂબ જ ઉત્સાહ થી કીર્તન અને રસિયા સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવી હવેલી માં ભક્તિમય વાતાવરણ બનાવી દીધુ.

