Ahmedabad News

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે

સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ.

સુધારેલી સમયસારણી 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે

મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.
સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

સુધારેલી સમય-સારણી

ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે પ્રસ્થાન કરીને 13:20 વાગ્યે ઓખા પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે પ્રસ્થાન કરીને 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.

આંબલી રોડ સ્ટેશનને પ્રથમ વખત મળશે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ

આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પશ્ચિમ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે.

બુકિંગ સંબંધિત માહિતી

વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 15 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે.

Chief Editor

Recent Posts

અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના કર્મચારી અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પશ્ચિમ…

1 hour ago

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન ચાંદખેડા રોડ સ્ટેશન પર…

1 hour ago

Asian Games 2026: ગુજરાતના રેકોર્ડબ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં…

22 hours ago

પેપર લીક વિરોધી બિલ સંસદમાં રજૂ: યુવા સાંસદો સંભાળશે મોરચો, કડક સજાની જોગવાઈ

Anti-paper leak bill | દેશભરમાં પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક (Paper Leak) ની ઘટનાઓ સામે…

22 hours ago

સાયબર ફ્રોડનો ભોગ બનનારા માટે ગુજરાત સરકારની નવી પહેલ: ‘e-Zero FIR’ સેવાનો પ્રારંભ

Cyber e Zero FIR | ગુજરાતમાં સાયબર ગુનાઓ (Cyber Crimes) પર ઝડપી કાર્યવાહી કરવા અને…

22 hours ago

ગુજરાતમાં મેઘતાંડવ: 14 ડેમ સંપૂર્ણ ભરાયા, 21 હાઈ એલર્ટ પર અને નર્મદા ડેમમાં 69% જળસંગ્રહ

ગુજરાત (Gujarat) માં છેલ્લા 5 દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદ (Rain) ને કારણે રાજ્યમાં પાણીની…

23 hours ago