Railway Update

અમદાવાદીઓ આનંદો..એકજ દિવસમાં સોમનાથદાદાના દર્શન કરીને પર

જય. સોમનાથ..જય સોમનાથ..રેલ્વેની શ્રાવણી ભેટ

17 ઓગસ્ટ 2026થી નવા માર્ગ ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢથી ચાલશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થી હવે એક જ દિવસમાં દર્શન કરી સરળતાથી પરત આવી શકશે

ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પહેલી વાર મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ

 

રેલવે મંત્રાલયે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓની સુવિધા અને યાત્રીઓને ઝડપી, આધુનિક અને આરામદાયક રેલવે સેવા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ હેઠળ ટ્રેન નંબર 26901/26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન વર્તમાનના વિરમગામ-સુરેન્દ્રનગર-જેતલસર-જૂનાગઢ માર્ગને બદલે ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ માર્ગથી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ફેરફાર કરાયેલ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 17 ઓગસ્ટ 2026 થી આરંભ થશે. નવા માર્ગથી ફક્ત સોમનાથ જનારા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા જ નહીં મળે, પરંતુ ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પણ પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની આધુનિક અને વિશ્વસ્તરની યાત્રાનો લાભ મળશે.

ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ 2026 થી સાબરમતીથી સવારે 06:00 કલાકે પ્રસ્થાન કરશે તથા 06:16 કલાકે ગાંધીગ્રામ અને 12:50 કલાકે વેરાવળ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી 15:50 કલાકે પ્રસ્થાન કરશે તથા 21.50 કલાકે ગાંધીગ્રામ અને 22:25 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં સ્ટોપેજ

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. આ વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સંચાલિત થશે.

શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા

આ ટ્રેનનું સમયપત્રક વિશેષ રૂપે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. યાત્રી સવારે સાબરમતીથી પ્રસ્થાન કરી બપોર સુધી વેરાવળ પહોંચીને ભગવાન સોમનાથના દર્શન કરી શકશે તથા એ જ દિવસે બપોર પછી વેરાવળથી પરત થઈ રાત્રી સુધી સાબરમતી પરત આવી શકશે. આનાથી એક જ દિવસમાં દર્શન કરી પરત આવવું પહેલાની સરખામણીમાં વધુ સુવિધાજનક થઈ જશે.

ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનને પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની ભેટ

માર્ગ પરિવર્તનની સાથે ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પહેલી વાર દેશની સૌથી આધુનિક સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરવાનો અવસર મળશે. આનાથી ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા મહત્વના સ્ટેશનોના યાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક રેલવે યાત્રાનો લાભ મળશે.

પ્રાદેશિક કનેક્ટિવિટીને મળશે નવું પરિમાણ

ફેરફાર કરાયેલ માર્ગથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ધાર્મિક પર્યટન અને વેપારી કેન્દ્રો વચ્ચે સંપર્ક વધુ સુદ્રઢ થશે. યાત્રા સમયમાં ઘટાડો થવાની સાથે-સાથે યાત્રીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ ઝડપી અને સુવિધાજનક રેલવે સેવા ઉપલબ્ધ થશે, જેનાથી પ્રદેશના સામાજિક, ધાર્મિક અને આર્થિક વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે.

Chief Editor

Recent Posts

ગુજરાતમાં ભારે વરસાદ પાછળ PDOનો હાથ? અલ નીનો કરતાં પણ છે વધુ ઘાતક

Pacific Decadal Oscillation | ગુજરાતમાં ચોમાસા (Monsoon) દરમિયાન નોંધાતા અતિભારે વરસાદ (Extreme Heavy Rainfall) અને પૂરની…

9 minutes ago

NEET Paper Leak : સુપ્રીમ કોર્ટ NTAના સુધારા પર વર્ષભર રાખશે નજર, કેન્દ્ર પાસે માંગ્યું સોગંદનામું

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) પરીક્ષામાં પેપર લીક (Paper Leak) અને ગડબડીની ઘટનાઓ સામે…

17 minutes ago

Google લાવ્યું નવું ફીચર, પાસવર્ડ ભૂલી ગયા તો ચિંતા નહીં વિડીયોથી એકાઉન્ટ રિકવર થશે

Google Selfie Video | જીમેઇલ (Gmail) અથવા ગુગલ એકાઉન્ટ (Google Account) નો પાસવર્ડ (Password) ભૂલી જવો…

43 minutes ago

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: શાંતિ સમજૂતી નહીં થાય તો ભયાનક હુમલો કરવાની આપી ધમકી

US Iran War | અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે ચાલતો વિવાદ હવે વધુ વકરે…

1 hour ago

ટેનિસ સ્ટાર અરાંત્સા સાંચેઝ વિકારિયોને પૂર્વ પતિએ છેતરી, 400 કરોડ ગુમાવ્યા

Arantxa Sanchez Vicario | સ્પેનની પ્રખ્યાત ટેનિસ (Tennis) ખેલાડી અરાંત્સા સાંચેઝ વિકારિયો (Arantxa Sanchez Vicario)…

2 hours ago

અમદાવાદ મુંબઇ ટ્રેન સેવાઓ પર વરસાદની અસર..લેટેસ્ટ અપડેટ

પશ્ચિમ રેલવે સમાચાર: ભારે વરસાદને કારણે ૧૨ ટ્રેનો સંપૂર્ણ રદ નવી દિલ્હી / મુંબઈ: મુસળધાર…

3 hours ago