Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સ્વતંત્રતા દિનની વહેલી સવારે ૨૫૧મું અંગદાન

Chief Editor August 17, 2026
17 anang1

સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને મળ્યું નવજીવન:- સિવિલ હોસ્પિટલના

તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશી
******

Join Our WhatsApp Group

સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું ૨૫૧મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા ૩૮ વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થતાં, તેમના પરિવારે લીધેલા અત્યંત સંવેદનશીલ અને સાહસિક નિર્ણયથી આજે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

ઘટનાની વિગત મુજબ, બુધાભાઈ પરમાર ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં સ્થિતિમાં સુધાર ન થતા, તા.૧૪ ઓગસ્ટના રોજ તબીબો દ્વારા તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.

 

જીવનસાથી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બુધાભાઈના પત્ની ભાવનાબેન અને તેમના પરિવારે અસીમ ધૈર્ય દાખવ્યું હતું. સિવિલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતના યોગ્ય કાઉન્સેલિંગ બાદ, પરિવારે માનવતા અભિગમ અપનાવીને અંગદાન માટે પોતાની લેખિત સંમતિ આપી હતી.

અંગદાનમાં પ્રાપ્ત થયેલા હૃદયનું સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ (Transplant) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દાનમાં મળેલું એક લીવર અને બે કિડની IKDRC (કિડની હોસ્પિટલ) ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓમાં પ્રત્યારોપિત કરીને તેમને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ ૨૫૧ અંગદાતાઓ થકી ૧,૦૭૯ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ૪૬૪ કિડની, ૨૨૫ લીવર, ૭૯ હૃદય, ૩૪ ફેફસાં, ૨૧ સ્વાદુપિંડ, ૦૬ હાથ અને ૦૨ નાનાં આંતરડાં મળીને કુલ ૮૩૧ અંગો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ૨૦૦ ચક્ષુ તથા ૪૮ ચામડી –સ્કિન પ્રાપ્ત કરીને કુલ ૨૪૮ પેશીઓ પ્રાપ્ત થઇ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ૧૮ ઓગસ્ટ:-વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે
Next: સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી સમુદાયો વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.