
જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા
પ્રભુ શ્રીરામના આગમન પર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશવાસીઓને મંદિરો અને તીર્થસ્થળોની સાફસફાઈ કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આજરોજ મકરસંક્રાંતિના શુભ દિવસે સિદ્ધપુર ખાતે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી સાંઈ બાબા મંદિર, શ્રી ગુરૂ મહારાજ મંદિર (અરવડેશ્વર મહાદેવ) મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને કાર્યકર્તાઓ સાથે સહભાગી થવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, મનોજસિંહ ઝાલા, શ્રી દિલીપસિંહ ઠાકોર, સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અજીતભાઇ મારફતીયા, ભરતભાઈ મોદી, અભુજી ઠાકોર, મનીષભાઈ પ્રજાપતિ, રશ્મિન દવે, મહિલા મોરચા પ્રમુખ – સુષ્માબેન રાવલ, વર્ષાબેન, કાર્યકર્તા, સંગઠનના હોદ્દેદારો, સફાઈ કર્મચારી, ઉપસ્થિત રહ્યા હતા.








