માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબે
હાજરી આપી અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કર્યું. આ યાત્રાને લઈને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને અત્યંત આનંદની લાગણી થઈ.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, શ્રી શંભુભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, ઈશ્વરજી ઠાકોર, રાગિણીબેન પટેલ, સુરેશભાઈ ઠાકોર, દિલીપજી ઠાકોર, અભુજી ઠાકોર, કાનજીભાઈ ઠાકોર, સરપંચશ્રી – બળદેવભાઈ રાજપૂત, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મકવાણાજી – નાયબ જિલ્લા અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ જોડાયા હતા.