Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની હરિત પહેલ

Chief Editor June 8, 2026
8-6 mah3

મુંબઈ, 09 જૂન, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની હરિત પહેલ

Join Our WhatsApp Group

પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઔષધીય છોડનું વિતરણ

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભાવનાને સાકાર કરતા 8 જૂન, 2026 ના રોજ અંધેરી રેલવે કોલોનીમાં જાગૃતિ તેમજ વૃક્ષારોપણ સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી સુજાતા પાંડેએ કારોબારી સમિતિના સભ્યો સાથે કર્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, શ્રીમતી સુજાતા પાંડે અને કારોબારી સમિતિના સભ્યો દ્વારા લીમડો, સરગવો (મોરિંગા) તેમજ આમળા જેવા ઔષધીય છોડથી યુક્ત એક ‘આરોગ્ય વાટિકા’ ની સ્થાપના કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ્ય દૈનિક જીવનમાં ઔષધીય છોડના મહત્વને રેખાંકિત કરવાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જન-જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે શ્રીમતી પાંડેએ રેલવે કર્મચારીઓ, તેમના પરિવારો તેમજ સામાજિક કલ્યાણ કેન્દ્રમાં ઉપસ્થિત બાળકો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રના સભ્યોએ વર્ષભર સંચાલિત વિવિધ કલ્યાણકારી અને સામુદાયિક વિકાસ પ્રવૃત્તિઓ, જેમ કે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનો વગેરેની માહિતી રજૂ કરી હતી.

શ્રીમતી પાંડેએ રેલવે કોલોનીમાં સ્વચ્છ અને હરિત વાતાવરણ જાળવી રાખવા માટે ત્યાંના રહેવાસીઓના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પર્યાવરણ સંરક્ષણમાં સામૂહિક ભાગીદારી તથા પર્યાવરણ પ્રત્યે ઉત્તરદાયી સમુદાયોના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો. ઘરેલું બાગાયતને પ્રોત્સાહિત કરવા તેમજ ઔષધીય છોડના ઉપયોગને વેગ આપવાના ઉદ્દેશ્યથી કોલોનીના રહેવાસીઓને લીંબુ, લેમનગાસ, મીઠો લીમડો (કડી પત્તા) અને પાનના છોડ સહિત વિવિધ છોડ અને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને પોતાના ઘરોમાં ઉપયોગી છોડ ઉગાડવા તેમજ પર્યાવરણ-અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ ઘર-ઘરમાં ઔષધીય છોડ લગાવવાના પર્યાવરણીય તેમજ સ્વાસ્થ્ય સંબંધી લાભો પ્રત્યે જન-જાગૃતિ વધારવાનું એક સાર્થક માધ્યમ સાબિત થયો.

ફોટો કેપ્શન: પ્રથમ તસવીરમાં, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષા શ્રીમતી સુજાતા પાંડે કારોબારી સમિતિના સભ્યો સાથે વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર અંધેરી રેલવે કોલોનીની મુલાકાત દરમિયાન. બીજી તસવીરમાં, શ્રીમતી પાંડે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઔષધીય છોડથી યુક્ત આરોગ્ય વાટિકાની સ્થાપના દરમિયાન વૃક્ષારોપણ કરતા.


 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: મારારીકુલમ – આલાપ્પુઝા ડબલિંગ પ્રોજેક્ટને રેલવેની મંજૂરી
Next: ઇરાન પરમાણુ ડીલ માટે તૈયાર, અમેરિકાની સૈન્ય કાર્યવાહીથી પાયમાલ ટ્રમ્પનો દાવો
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.