અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન સંઘર્ષ પર આધારિત પુસ્તક “ચુનૌતિયાં મુજે પસંદ હૈ”નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે શિક્ષણ અને સમાજ સેવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
આનંદીબેન પટેલે શિક્ષણને સૌથી મહત્વનું કાર્ય ગણાવતા કહ્યું કે, “શિક્ષણનું કામ ખૂબ મોટું છે, પરંતુ દુઃખની વાત એ છે કે આજે શિક્ષકો આદિવાસી વિસ્તારોમાં જઈને રહેવા તૈયાર નથી.” તેમણે કથાકાર રમેશ ઓઝાની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ એક ઉત્તમ શિક્ષક પણ છે અને તેમના માર્ગદર્શન હેઠળ અનેક બાળકો ભણ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ વિશે વાત કરતા તેમણે માર્મિક રીતે કહ્યું હતું કે, “અમિતભાઈ ચાણક્ય છે, તેમને ખબર છે કે કોને ક્યારે આગળ લાવવા અને કોને પાડવા. જ્યારે હું એક શિક્ષક છું, મને આ બધું આવડતું નથી.”
પોતાના સામાજિક કાર્યોનો ઉલ્લેખ કરતા આનંદીબેને જણાવ્યું હતું કે:
ટીબી મુક્ત ભારત: ઉત્તર પ્રદેશમાં સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વિના, માત્ર જનભાગીદારીથી 4 લાખ દર્દીઓને ટીબી મુક્ત કરવામાં આવ્યા છે.
આંગણવાડી પ્રોજેક્ટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરતા યુનિવર્સિટીઓ અને જનતાના સહયોગથી 50 હજાર આંગણવાડીઓ સુધી કીટ પહોંચાડી છે.
ફંડ એકત્રીકરણ: લોકભાગીદારી (Public Money) દ્વારા અંદાજે 150 કરોડ રૂપિયા એકત્ર કરીને સામાજિક કાર્યોમાં વાપર્યા છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…