National

પહેલગામ હુમલાથી મિત્રો-દુશ્મનોની જાણ થઈ, સુરક્ષા માટે સતર્ક અને શક્તિશાળી બનવું પડશે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, ‘પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી. આપણી સરકાર અને સેનાએ તેનો જવાબ આપ્યો. આ ઘટનાથી આપણને મિત્ર અને દુશ્મનની જાણ થઈ.’

તેમણે કહ્યું કે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજ રાખવી પડશે. પહેલગામની ઘટના આપણને શીખવી ગઈ કે ભલે આપણે બધાની સાથે મિત્રતાનો ભાવ રાખીએ છીએ અને રાખીશું, પરંતુ આપણે આપણી સુરક્ષા પ્રત્યે વધુ સજાગ અને સમર્થ બનવું પડશે.

RSS પ્રમુખે આ વાત ગુરુવારે નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં કહી. તેમણે 41 મિનિટના ભાષણમાં સમાજમાં આવી રહેલા ફેરફારો, સરકારોનું વલણ, લોકોમાં બેચેની, પડોશી દેશોમાં ઉથલપાથલ, અમેરિકન ટેરિફનો ઉલ્લેખ કર્યો.

આ પહેલા ભાગવતે RSSના સંસ્થાપક ડો. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી. શસ્ત્ર પૂજન કર્યું. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હતા.

ભાગવતની સ્પીચની 4 મોટી વાતો, કહ્યું- અમેરિકન ટેરિફની અસર બધા પર
1. આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે: આજે આખી દુનિયામાં અરાજકતાનું વાતાવરણ છે. આવા સમયે આખી દુનિયા ભારત તરફ જુએ છે. આશાનું કિરણ એ છે કે દેશની યુવા પેઢીમાં પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વધ્યો છે. સમાજ પોતાને સક્ષમ મહેસૂસ કરે છે અને સરકારની પહેલથી પોતે જ સમસ્યાઓનું નિદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બુદ્ધિજીવીઓમાં પણ પોતાના દેશની ભલાઈ માટે ચિંતન વધી રહ્યું છે.’

2. દુનિયામાં તમે એકલા જીવી શકતા નથી: અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તેની અસર બધા પર પડી રહી છે. તેથી દુનિયામાં પરસ્પર સંબંધો બનાવવા પડે છે. તમે એકલા જીવી શકતા નથી, પરંતુ આ નિર્ભરતા મજબૂરીમાં ન બદલાઈ જાય. તેથી આપણે આને મજબૂરી ન બનાવતા આત્મનિર્ભર થવું પડશે.

3. હિંસા પરિવર્તનનો રસ્તો નથી: પ્રાકૃતિક ઉથલપાથલ પછી પડોશી દેશોમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક-ક્યારેક એવું થાય છે કે પ્રશાસન જનતાને ધ્યાનમાં રાખીને નીતિ નથી બનાવતું, તેમનામાં અસંતોષ હોય છે, પરંતુ તેનું આ રીતે સામે આવવું યોગ્ય નથી. આટલી હિંસા યોગ્ય નથી. લોકતાંત્રિક રીતે પરિવર્તન આવે છે.

4. હિંસક પરિવર્તનોથી અરાજકતાની સ્થિતિ બને છે: હિંસક પરિવર્તનોથી ઉદ્દેશ્ય મળતો નથી, પરંતુ અરાજકતાની સ્થિતિમાં બહારની તાકાતોને ખેલ રમવાનો મોકો મળી જાય છે. પડોશી દેશોમાં આવું થવું આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ પહેલા આપણા લોકો જ હતા. પરિસ્થિતિ એવી છે કે સુખ-સુવિધા વધી, રાષ્ટ્ર નજીક આવ્યા, આર્થિક લેવડ-દેવડ દ્વારા નજીક આવ્યા. મનુષ્ય જીવનમાં જંગ અને કલહ ચાલી રહ્યા છે, હવે પરિવારોમાં પણ તૂટ આવી રહી છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (University of North Texas) ના એક ભારતીય વિદ્યાર્થીએ પોતાની કરિયરની…

12 hours ago

લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર

Indian origin UK mayors | હરિયાણા (Haryana) ના રોહતક (Rohtak) ના એક પરિવાર માટે યુનાઇટેડ…

12 hours ago

ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે

ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) ની નવી નીતિ, જે મુજબ ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા ઈચ્છુકોએ…

12 hours ago

3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની

Sanjay Mehrotra Micron | સેમિકન્ડક્ટર (Semiconductor) ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોન ટેકનોલોજી (Micron Technology) એ સત્તાવાર…

12 hours ago

‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ

British MP Rupert Lowe racist remarks | યુનાઇટેડ કિંગડમ (United Kingdom) માં સ્થળાંતર કરનારા ભારતીયો…

13 hours ago

બ્રિટિશરોને પછાડીને ઓસ્ટ્રેલિયામાં ભારતીયો બન્યા સૌથી મોટો પ્રવાસી સમૂહ

Indians Australia migrants | ઓસ્ટ્રેલિયામાં ભારતીયો હવે સૌથી મોટા પ્રવાસી સમૂહ (Migrant Group) તરીકે ઉભરી…

13 hours ago