ભારત-પાકિસ્તાનના ભાગલા સમયથી શરૂ થયેલી સિંધુથી સાબરમતીની સફર આજે પણ ચાલુ છે. છેલ્લા 9 વર્ષમાં અમદાવાદમાં રહેતા 1295 પાકિસ્તાની લઘુમતી (Minorities) ઓને ભારતની નાગરિકતા (Indian Citizenship) આપવામાં આવી છે. દર વર્ષે અંદાજે 150 જેટલા પાકિસ્તાની લઘુમતીઓ ભારતીય નાગરિક બનવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ અરજી કરે છે.
700 જેટલી અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન છોડીને અમદાવાદમાં સ્થાયી થયેલા 2049 લોકોએ નાગરિકતા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી અત્યાર સુધી 1295 પાકિસ્તાની હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને સત્તાવાર નાગરિકતા મળી છે.
હાલમાં મેઘાણીનગર, સરદારનગર અને નરોડા જેવા વિસ્તારોમાં આ પરિવારો વસવાટ કરી રહ્યા છે, જ્યારે 500 થી 700 જેટલી અરજીઓ હજુ પેન્ડિંગ (Pending) છે. ઓનલાઇન અરજી બાદ IB તપાસ અને શપથ વિધિની પ્રક્રિયામાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે.
કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016 અને 2018 માં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ (Kutch) જિલ્લાના કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની વિશેષ સત્તા સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ષ 2019 ના નાગરિકતા સુધારા કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા લઘુમતીઓ માટે રહેઠાણનો સમયગાળો 11 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવાયો છે, જેનાથી નાગરિકતા મેળવવી સરળ બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 31 માર્ચના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે.…
US-Israel-Iran war | પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે.…
US-Israel-Iran-War | અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે વધતા સૈન્ય તણાવ વચ્ચે મોટા સમાચાર સામે…
પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા સંઘર્ષ (Conflict) ના 2જા મહિને ઈઝરાયલ (Israel) ના…
Jerusalem Palm Sunday Controversy | પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે જેરૂસલેમમાં (Jerusalem) એક…
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન (USA-Israel vs Iran) વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે સંયુક્ત આરબ અમીરાત…