National

અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા

MBBS Career Debate | ભારતમાં ડોક્ટર બનવાનું સપનું જોતા લાખો વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા (Social media) પર એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડોક્ટર મનસાફા બેપારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી.

તેમણે દાવો કર્યો કે જેઓ ઝડપથી આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માંગે છે, તેમના માટે MBBS હંમેશાં શ્રેષ્ઠ વિકલ્પ નથી હોતો. મેડિકલ ક્ષેત્ર એવા લોકો માટે વધુ સરળ સાબિત થઈ શકે છે જેમની પારિવારિક આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત હોય અથવા જેમનો પરિવાર અગાઉથી જ ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલો હોય.

ડોક્ટરે પોતાની પોસ્ટમાં શરૂઆતના વર્ષોમાં થતી કમાણી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે જેઓ પોતાના પરિવારમાં પહેલી પેઢીના (First generation) ડોક્ટર બને છે, તેમને કરિયરની શરૂઆતમાં ભારે સંઘર્ષ કરવો પડે છે.

શરૂઆતી વર્ષોમાં તેમની કમાણી એટલી જ મર્યાદિત હોય છે જેનાથી માત્ર રોજિંદા ખર્ચ અને ઘરનું ભાડું જ નીકળી શકે. આવી સ્થિતિમાં મોંઘી વસ્તુઓ ખરીદવી કે પરિવારની મોટી આર્થિક જવાબદારીઓ ઉપાડવી સરળ નથી હોતી.

તેમના મતે, મેડિકલ ક્ષેત્રમાં મજબૂત આર્થિક સ્થિરતા મેળવવા માટે કેટલાક ડોક્ટરોએ ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર સુધી રાહ જોવી પડી શકે છે.

આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકો ડોક્ટરની વાત સાથે સહમત થયા, તો ઘણા લોકોએ આ દાવાને નકારી કાઢ્યો.

એક યુઝરે લખ્યું કે તેની ઘરની નજીક હોસ્પિટલમાં કામ કરતા પહેલી પેઢીના ડોક્ટર રોજ મોટી સંખ્યામાં દર્દીઓ જુએ છે અને સારી કમાણી કરે છે. ડોક્ટરની આવક લોકેશન, એક્સપર્ટાઇઝ (Expertise) અને ક્લિનિક પર નિર્ભર કરે છે. જ્યારે અન્ય એક યુઝરે આ જ આર્થિક સંઘર્ષના કારણે મેડિકલ ક્ષેત્ર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી.

કેટલાક લોકોનું માનવું હતું કે ડોક્ટર બનવાનો નિર્ણય માત્ર પૈસાના આધારે નહીં, પરંતુ તબીબી સેવા પ્રત્યેના જુસ્સાને જોઈને લેવો જોઈએ.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

14 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

14 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

23 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

2 days ago