US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East)માં વધી રહેલા તણાવની સીધી અસર હવે ભારતના દરિયાઈ વ્યાપાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ગુજરાતના કંડલા બંદર (Kandla Port) તરફ આવી રહેલા એક થાઈ કાર્ગો જહાજ પર ઈરાન (Iran) દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 2 ભારતીયોના મોત થતા ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 11 માર્ચના રોજ થાઈલેન્ડના ‘મયુરી નારી’ (Mayuri Nari) જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ UAE ના ખલીફા બંદરથી ગુજરાત આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે થયેલા આ હુમલા બાદ રોયલ થાઈ નેવી (Royal Thai Navy) એ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે 3 સભ્યો હજુ પણ ગુમ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વાણિજ્યિક જહાજો (Commercial Vessels) પરના આવા હુમલા ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2 ભારતીયોના મોત થયા છે.
ગલ્ફ દેશોમાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં વધતી અસ્થિરતાથી વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) પર પણ જોખમ ઊભું થયું છે.
Global Crude Oil Market | એક સમયે પોતાના દેશમાંથી ઇંધણની નિકાસ (Fuel Export) પર પ્રતિબંધ…
SpaceX IPO | એલોન મસ્ક (Elon Musk) ની આગેવાની હેઠળની સ્પેસએક્સ (SpaceX) કંપની શુક્રવારે અમેરિકાના…
US Visa Interview | યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે (U.S. Department of State) પ્રવાસીઓ અને બિઝનેસ…
અમેરિકાના મિશિગન (Michigan) માં સિનિયર સિટીઝન્સને નિશાન બનાવતા એક મોટા ગોલ્ડ-બાર કૌભાંડ (Gold-Bar Scam) નો…
Forbes Immigrant List | અમેરિકાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ નિમિત્તે ફોર્બ્સે (Forbes) દેશના સૌથી સફળ અને…
Mahender Makhijani Case | અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા 44 વર્ષીય ભારતીય મૂળના ઉદ્યોગપતિ મહેન્દર મખીજાની (Mahender…