NRI News : આજકાલ યુવાનોમાં વિદેશ સ્થાયી થવાનો ક્રેઝ (Craze) ખૂબ વધી રહ્યો છે. ખાસ કરીને કેનેડા (Canada) અને અમેરિકા જવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. પરંતુ, શું વિદેશમાં જીવન ખરેખર એટલું જ રંગીન છે જેટલું સોશિયલ મીડિયા પર દેખાય છે? તાજેતરમાં એક ભારતીય પ્રોફેશનલ અને ઇન્ફ્લૂએન્સર (Influencer) સસ્વતે કેનેડા (Canada) છોડી ભારત પરત ફરવા પાછળના જે કારણો જણાવ્યા છે, તે દરેક ગુજરાતીએ સાંભળવા જેવા છે.
સસ્વતે જણાવ્યું કે ભારત પરત ફરવાનું સૌથી મોટું કારણ કામ હતું. કેનેડામાં જો તમારી પાસે પરમેનેન્ટ રેસીડેન્સી (Permanent Residency) ન હોય, તો સારી કોર્પોરેટ જોબ (Corporate Job) મળવાની તક માત્ર 1 થી 2 ટકા જ રહે છે. તેણે અનુભવ શેર કર્યો કે જે કંપનીમાં તે અત્યારે ભારતમાં કામ કરે છે, તે જ કંપનીની કેનેડા ઓફિસે તેને માત્ર PR ન હોવાને કારણે રિજેક્ટ (Reject) કર્યો હતો.
ઘણા લોકોને લાગે છે કે વિદેશ જઈને તરત જ લાઈફ સેટ (Life Set) થઈ જશે. પરંતુ સસ્વતના મતે, ત્યાં સ્થાયી થવા માટે 8 થી 10 વર્ષનો આકરો સંઘર્ષ કરવો પડે છે. આ સિવાય પરિવારથી દૂર રહેવાની એકલતા (Loneliness) વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ભારતમાં પરિવાર સાથેની નાની તકરાર પણ વિદેશની એકલતા કરતા ઘણી સારી છે.
સસ્વત કહે છે કે કેનેડામાં રસ્તા અને હવા સારા હોઈ શકે છે, પરંતુ ત્યાં તમારા પરિવાર સાથેનો કિંમતી સમય ગુમાવવો પડે છે. તેના મતે, ભારત પરત ફરવાનો તેનો નિર્ણય 100% સાચો હતો, કારણ કે અહીં તે તેના પરિવારની નજીક છે અને પોતાની કરિયરમાં પણ સારી પ્રગતિ કરી રહ્યો છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…