સરદાર @150 યુનિટી માર્ચ
કાયમી પદયાત્રીઓ સ્વયં કચરાનો નિકાલ કરી પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ
વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ફરી રહેલા પદયાત્રીઓનું ઠેરઠેર થયું ઉષ્માસભર સ્વાગત
કોઇ સ્થળે નૃત્યો તો કોઇ સ્થળે આશીર્વચન, દેશભરના પદયાત્રીઓને થયો સાંસ્કૃતિક નગરીનો પરિચય
સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રીઓએ જય સરદારની પ્રચંડ ગુંજ સાથે મહારાજા સયાજીરાવની સાક્ષર નગરી વડોદરામાં કૂચ કરી હતી. આ રાષ્ટ્રીય પદયાત્રા તેની નિયત રાહ પર વિવિધ સ્થળો ઉપર ફરી આજના દિવસની છાવણી એવા નવલખી મેદાન ઉપર પહોંચી હતી અને વિરામ પામી હતી. ભારતભરમાંથી આવેલા પદયાત્રીઓને શહેરમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત વડોદરાની સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખની પરિચાયક બની હતી.
કેન્દ્રીય યુવા ખેલ મંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડોદરાના અટલાદરા થી નવલખી સુધી પદયાત્રીઓ પ્રસ્થાન કર્યું. જેમાં, રાજકીય પ્રતિનિધિઓ, આગેવાનો, અગ્રણીઓ અને પ્રબુદ્ધ શહેરીજનો જોડાયા હતા.
પદયાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવા પદયાત્રીઓ સાથે સંવાદ કરી ભારતના વિકાસ માટે યુવાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિવાજી સર્કલ પર શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરા નગરજનોએ પદયાત્રીઓ પર ફૂલોનો વરસાદ કર્યો હતો.
ઊર્મિ સ્કૂલ, ભારત પેટ્રોલ પંપ, ચિનાર વુડ સોસાયટી જેવા વિવિધ જૂથો દ્વારા પદયાત્રીઓ ઉપર પુષ્પવર્ષા થકી શહેરમાં આવકારવામાં આવ્યા હતા.
એચ.એસ.પટેલ સ્કૂલની બાળાઓ દ્વારા ગરબા નૃત્ય અને વિધાકુંજ હાઇસ્કુલની કન્યાઓ દ્વારા કથક નૃત્ય કરીને પદયાત્રીઓનું અભિવાદન કર્યું હતું.
મરાઠી અને મુસ્લીમ સમુદાયના લોકોએ પદયાત્રીઓનું વિશેષ સન્માન કરી સામાજિક સૌહાર્દની મિશાલ પૂરી પાડી હતી.
અલકાપુરી બ્રહ્માકુમારી ગ્રુપ દ્વારા પદયાત્રીઓને શાંતી અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ઘણા પદયાત્રીઓએ કેરી બેગમાં કચરો વીણીને સ્વચ્છતાનું સરસ ઉદાહરણ આપ્યું હતું.
યુનિટી માર્ચનો પોતાનો અનુભવ રજૂ કરતા હરિયાણાના કરનાલનામિહિર બેનરજીએ જણાવ્યું હતું કે સરદાર@૧૫૦ એક પદયાત્રા નહીં પરંતુ તીર્થયાત્રા છે. જેમાં સરદાર પટેલની જન્મભૂમિને સાક્ષાત થવાનો અવસર મળ્યો. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના લોકો બહુ જ પ્યારા છે, આ પદયાત્રાના માધ્યમથી દેશના તમામ લોકોને અખંડ ભારત નિર્માણના કાર્યો કરવાની પ્રેરણા મળશે.
અન્ય પદયાત્રી, રાજસ્થાન બાડમેરનાગણપત રાઠોડે જણાવ્યું હતું કે સરદાર@૧૫૦ પદયાત્રાના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર થતા જોવાનો અનુભવ પ્રાપ્ત થયો છે. સમગ્ર ભારતમાંથી આવેલા યુવાનોના પારસ્પરિક વૈચારિક આદાન-પ્રદાન થી સશક્ત ભારત નિર્માણ માટે કાર્યો કરવાની પ્રેરણા મળી છે.
અરુણાચલ પ્રદેશનાથોમસ સીંગીએ જણાવ્યું હતું કે યુનિટી માર્ચમાં જોડાવાનો તેમનો અનુભવ ખૂબ જ આનંદમય રહ્યો છે. આ પદયાત્રા અટલાદરાથી શરૂ થયી વ્રજ કુમારજી સર્કલ, શિવાજી સર્કલ, મુજ મહુડા, રામપુરા અકોટા, અકોટા બ્રિજ, નરસિંહ હોમ સર્કલ થઇ નવલખી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (University of North Texas) ના એક ભારતીય વિદ્યાર્થીએ પોતાની કરિયરની…
Indian origin UK mayors | હરિયાણા (Haryana) ના રોહતક (Rohtak) ના એક પરિવાર માટે યુનાઇટેડ…
ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) ની નવી નીતિ, જે મુજબ ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા ઈચ્છુકોએ…
Sanjay Mehrotra Micron | સેમિકન્ડક્ટર (Semiconductor) ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોન ટેકનોલોજી (Micron Technology) એ સત્તાવાર…
British MP Rupert Lowe racist remarks | યુનાઇટેડ કિંગડમ (United Kingdom) માં સ્થળાંતર કરનારા ભારતીયો…
Indians Australia migrants | ઓસ્ટ્રેલિયામાં ભારતીયો હવે સૌથી મોટા પ્રવાસી સમૂહ (Migrant Group) તરીકે ઉભરી…