Religious

Dallas..શ્રીનાથધામ હવેલી, જે VYO USA દ્વારા કેરી નો મનોરથ

શ્રીનાથધામ હવેલી, જે VYO USA દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી છે, તેણે ૧૩ જુલાઈના રોજ આમ (કેરી) નો મનોરથ અને રથ યાત્રાની ઉજવણી નિમિત્તે સત્સંગ કરી, જે Dallas ના સ્થાનિક પુષ્ટિમાર્ગીય સમુદાય માટે નોંધપાત્ર સીમાચિહ્ન છે. આ પ્રસંગ Dallas વિસ્તારમાં આવેલી પુષ્ટિમાર્ગીય હવેલી દ્વારા યોજાયેલી પ્રથમ-અગ્રણી કેરી મનોરથ હતો. એમાં ૨૦૦ થી પણ વધારે વૈષ્ણવો લાભાનિમિત્ત થયા હતા.

કાર્યક્રમ મંગળાચરણ અને ષોડશગ્રંથના પઠનથી શરૂ થયો, ત્યારબાદ નીજ મંદિરના ચાલુ બાંધકામ પર અપડેટ આપવામાં આવ્યું. ખજાનચીશ્રી નીલેશભાઈએ નીજ મંદિરના નિર્માણ ટીમનો હજારો સ્વयंસેવક કલાકો દ્વારા વ્યાવસાયિક ગુણવત્તાવાળા કામ પૂર્ણ કરવા માટેના સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો.
હવેલી કમીટી ના મેમ્બર્સ ના આમંત્રણ ને માન આપીને આ ઉત્સવ માં special Ramesh Premkhmar (Coppell city council), Dr. Ankit Kasangra (Prof. of Medicine at University of Texas) એ આરોગ્ય સુરક્ષા- steps to prevent cancer in Gujarati Community પર ખુબ જ જરૂરી માહિતી આપી માર્ગદર્શન આપ્યુ. સાથે FunAsia Radio ના community director નિલમબેન દવે પણ સુંદર દર્શન નો લાભ લેવા આવ્યા.

સૌનકભાઈ (VYO શ્રીનાથધામ હવેલી કમીટી મેમ્બર) એ upcoming FOGA event ની માહિતી આપી.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એ રથ યાત્રા પુષ્ટિમાર્ગ માં કેમ અને કેવી રીતે ઉજવાય છે, અષ્ટાક્ષર મહામંત્ર નું મહત્ત્વ અને કેવી અલગ અલગ રીતે કરી શકાય એના પર ખુબ સુંદર અને સહજ રીતે વચનામૃત દ્રારા સમજ આપી. પૂજ્યશ્રીએ શ્રોતાઓને ખાતરી પણ આપી હતી કે શુભ પુરુષોત્તમ અવિર્ભાવ થોડા જ સમયમાં સાકાર થશે.આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ કેરી મનોરથ દર્શન હતું, જ્યાં શ્રી ઠાકોરજીની સન્મુખ કેરી થી અલગ અલગ ડિઝાઈન કરી સુંદર રીતે સજાવવામા આવી. ત્યારબાદ બધા જ વૈષ્ણવોને પ્રસાદી ભોજન માં કેરીનો મીઠો પ્રસાદી રસ પીરસવામાં આવ્યો. બધા એ પ્રસાદ નો અનેરો આનંદ માણ્યો.

શ્રીનાથધામ હવેલી સમુદાયને આગામી ૨૭ જુલાઈ ના રોજ પ્રથમ કમળ ના હિંડોળા, મોર પીછ ના હિંડોળા, હરિયાળી અમાવસ ના હિંડોળા, પવિત્રા એકાદશી અને રાખડી ના હીંડોળા ના મનોરથમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. VYOEducation (૬-૧૬ વર્ષ), બાળ કૃષ્ણ classes (૩-૫ વર્ષ) બાળકો માટે તથા ગુજરાતી ના વર્ગો ૧૮ મી ઓગસ્ટ થી શરૂ થશે, આવનારા દિવસોમાં યોજાવાની મુખ્ય ઘટનાઓની શ્રેણી પણ આયોજિત છે. VYO શ્રીનાથધામ હવેલી પુષ્ટિમાર્ગના આચરણને પ્રોત્સાહન આપે છે. હવેલી સ્થાનિક વૈષ્ણવો માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે, જે વિવિધ પ્રોગ્રામ અને કાર્યક્રમ ઓફર કરે છે જે ભક્તિ, શિક્ષા અને સમુદાય સેવાને પ્રોત્સાહન આપે છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (University of North Texas) ના એક ભારતીય વિદ્યાર્થીએ પોતાની કરિયરની…

19 hours ago

લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર

Indian origin UK mayors | હરિયાણા (Haryana) ના રોહતક (Rohtak) ના એક પરિવાર માટે યુનાઇટેડ…

19 hours ago

ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે

ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) ની નવી નીતિ, જે મુજબ ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા ઈચ્છુકોએ…

19 hours ago

3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની

Sanjay Mehrotra Micron | સેમિકન્ડક્ટર (Semiconductor) ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોન ટેકનોલોજી (Micron Technology) એ સત્તાવાર…

19 hours ago

‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ

British MP Rupert Lowe racist remarks | યુનાઇટેડ કિંગડમ (United Kingdom) માં સ્થળાંતર કરનારા ભારતીયો…

20 hours ago

બ્રિટિશરોને પછાડીને ઓસ્ટ્રેલિયામાં ભારતીયો બન્યા સૌથી મોટો પ્રવાસી સમૂહ

Indians Australia migrants | ઓસ્ટ્રેલિયામાં ભારતીયો હવે સૌથી મોટા પ્રવાસી સમૂહ (Migrant Group) તરીકે ઉભરી…

20 hours ago