Ahmedabad News

“સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક પંડિતઃ સાતાવલેકરજી

“સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક , કરણીય વિચાર પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને પંડિત સાતાવલેકરજી સંસ્કૃત મહાવિદ્યાલય અને સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી, વલસાડથી…

લેખક, ચિંતક, વિચારક એવા સરળ વ્યક્તિત્વના સત્ય માર્ગી, સ્પષ્ટ વક્તા આદરણીય શ્રી ભગીરથભાઇ દેસાઈ નું ઉદ્દબોધન થયું.

આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના માનનીય સંઘ ચાલક શ્રી મહેશભાઈ પરીખ તેમજ સાહિત્ય સાધના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યાં. સાહિત્ય સાધના ટ્રસ્ટના શ્રી દેવાંગભાઈ આચાર્ય એ મંચ સંચાલન કર્યું.

વેદ અને રામાયણ કાળથી આજદિન સુધીમાં થયી ગયેલા સાહિત્યકારો જેમણે રાષ્ટ્રીય વિચારોને પોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું તેનું એક એક ઉદાહરણની સાથે જેમણે વિદેશી અક્રાંતાઓની ચાપલૂસી કરનારા સાહિત્યકારો વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો. એક એક શબ્દ જાણે અનેક વર્ષોનાં ચિંતન, અનુભવ અને પરિશ્રમનો સાર કેવળ ૧ કલાકના વક્તવ્યમાં છલકી રહ્યો હતો. ભૂતકાળ અને વર્તમાનની સાહિત્યકારોની એક ટાઈમ લાઈન તેમના વક્તવ્યમાં ખરે ખરા અર્થમાં એક એક શબ્દ ભગીરથી નાં પવિત્ર , નિર્મળ પ્રવાહમાં ડૂબકી ની અનુભૂતિ કરાવનાર હતી.

ભવિષ્યના સાહિત્ય લેખન અને વાંચન સાથે સંકળાયેલા તેમજ સોશિયલ મીડિયા કે whatsapp યુનિ.નાં ગ્લેમરમાં અવાસ્તવિક, દિશાહિન અને ટ્વીટર ટ્રેન્ડ સેટ કરવા હવાતિયા માં જન્મની સાર્થકતા કે રાષ્ટ્રીય સંસ્કારોનું પ્રદર્શન કરનારા વર્ગ વિશેષ માટે અત્યંત પ્રેરણાદાયક અને શૈક્ષણિક વકતવ્ય હતું.

ખેર વક્તા મહત્વ પૂર્ણ છે તેની સાથે વિચાર અત્યંત મહત્વ પૂર્ણ છે. તેનો બૌદ્ધિક જન માનસમાં પ્રચાર થાય તો આવનારા ભવિષ્યમાં સાહિત્યમાં રાષ્ટ્રીયતા ખરે ખરા અર્થમાં સાર્થક થાય.

આંગળીનાં વેઢે ગણી શકાય અને આર્થિક થી લઈ ગ્લાનિ યુક્ત વાતાવરણમાં ડચકા ખાતા ખાતા જીવતી રહેલી રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરતી સંસ્થઓ માટે પ્રાણવાયુ સમાન આ વિચાર જ ખરે ખરા અર્થમાં ઉપયોગી બની રહેશે.

place_..

દિનાંક : ૯-૧-૨૪
સમય : સાંજે ૬.૦૦ કલાકે
સ્થાન : ૯મો પુસ્તક સમારોહ, AMC, જીએમડીસી મેદાન પાસે, અમદાવાદ

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

5 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

5 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

7 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

8 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

8 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

8 hours ago