નવી દિલ્હી: રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને કામગીરીની ક્ષમતા વધારવા માટે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે વિવિધ રેલવે ઝોનમાં ૪,૦૯૮ ટેકનિકલ કર્મચારીઓની ભરતીને લીલી ઝંડી આપી દીધી છે. રેલવેના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ખાલી જગ્યાઓ ૩૫ જેટલી અલગ-અલગ ટેકનિકલ શ્રેણીઓમાં વહેંચાયેલી છે, જેમાં જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડેન્ટ, અને કેમિકલ એન્ડ મેટલર્જીકલ આસિસ્ટન્ટ જેવી રેલવે સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી પોસ્ટનો સમાવેશ થાય છે.
તમામ રેલવે ઝોનના જનરલ મેનેજરોને મોકલવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS) દ્વારા વિવિધ ઝોનમાંથી મળેલી ખાલી જગ્યાઓની વિગતોની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ આંકડાકીય સમીક્ષાના આધારે રેલવે મંત્રાલયે ભરતી પ્રક્રિયા તાકીદે શરૂ કરવા આદેશ આપ્યો છે. નોડલ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આગામી ૨૧ જુલાઈ ૨૦૨૬ થી આ માટેની કેન્દ્રિય રોજગાર વિજ્ઞપ્તિ (Centralised Employment Notification) બહાર પાડવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ૮૪૫ ખાલી જગ્યાઓ ‘પરમેનન્ટ વે’ (Permanent Way) કેટેગરીમાં છે. આ સિવાય ‘વર્ક્સ’ (Works) કેટેગરીમાં ૪૭૦ અને ‘કેરેજ એન્ડ વેગન’ (Carriage and Wagon) કેટેગરીમાં ૪૫૦ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, બેંગલુરુના ચેરમેન સાથે ચર્ચા-વિચારણા કરીને આ સમગ્ર ભરતી પ્રક્રિયાની સમયરેખા (Timeline) નક્કી કરી દીધી છે.
મંત્રાલયે તમામ ઝોનલ રેલવેને સૂચના આપી છે કે અંતિમ ખાલી જગ્યાઓની યાદી આંતરિક સિસ્ટમ પર અપલોડ કરતા પહેલા તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવે. આ સાથે જ આ ભરતીમાં SC, ST, OBC અને EWS કેટેગરી માટે નિર્ધારિત અનામતના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ મંત્રાલયની મંજૂરી બાદ ૬,૫૬૫ ટેકનિશિયનોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી ચૂકી છે, જેમાં સિગ્નલ ટેકનિશિયન ગ્રેડ-I માટેની ૩૨૩ અને ટેકનિશિયન ગ્રેડ-III માટેની ૬,૨૪૨ જગ્યાઓનો સમાવેશ થાય છે.
રેલવેના વિવિધ કર્મચારી સંગઠનોએ સુરક્ષા સાથે જોડાયેલી આ મહત્વની જગ્યાઓ ભરવાના નિર્ણયને આવકાર્યો છે. યુનિયનોનું કહેવું છે કે આ પગલાથી રેલવેની કામગીરી સુધરશે અને હાલના કર્મચારીઓ પરથી કામનું ભારણ ઘટશે.
ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે: “લાખો મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા શ્રેણીની ખાલી જગ્યાઓ ભરવી ખૂબ જ જરૂરી હતી. હું રેલવે મંત્રાલયના આ નિર્ણયની પ્રશંસા કરું છું અને આશા રાખું છું કે રેલવે તંત્ર ભવિષ્યમાં પણ ઓપરેશનલ સેફ્ટી પર આ જ રીતે ધ્યાન કેન્દ્રિત રાખશે.”
ઈન્ડિયન રેલવે S&T મેઈન્ટેનર્સ યુનિયનના જનરલ સેક્રેટરી આલોક ચંદ્ર પ્રકાશે જણાવ્યું હતું કે: “સિગ્નલ અને ટેલિકોમ કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. મને આનંદ છે કે મંત્રાલયે અમારા વિરોધની નોંધ લીધી અને લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો.”
આ પરિપત્રમાં ૧૯૭ જુનિયર એન્જિનિયર (સિગ્નલ) અને ૭૯ જુનિયર એન્જિનિયર (ટેલિકોમ્યુનિકેશન) ની પોસ્ટ ભરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અંગે આલોક ચંદ્ર પ્રકાશે ઉમેર્યું કે, “અમે આશા રાખીએ છીએ કે મંત્રાલય માત્ર આ ખાલી જગ્યાઓ જ તબક્કાવાર રીતે ન ભરે, પરંતુ રેલવે નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે થઈ રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને નવી જગ્યાઓ પણ મંજૂર કરે.”
વડોદરા સ્ટેશન પર કેટલીક ટ્રેનો પ્રભાવિત પશ્ચિમ રેલવેએ રેલ સંચાલનના આધુનિકીકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ…
મૃત્યુ પછી મનુષ્ય સાથે જાય છે આ ૫ વસ્તુઓ; જાણો કુંડળીમાં ક્યારે બને છે કષ્ટદાયક…
દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી કેલગરી ( આલ્બર્ટા ) ના જય…
'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…
અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…
Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…