₹20,667 કરોડના ખર્ચે વિકસિત થશે ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે.
લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે મુસાફરો માટે દૈનિક આવાગમન તથા એક જ દિવસે આવવા-જવાની સુવિધા વધુ સરળ અને આરામદાયક બનશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઐતિહાસિક નિર્ણય અંગે જણાવ્યું:
“અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.”
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું:
“આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. તેના દ્વારા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ વિસ્તારમાં રોજગાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. આ પ્રોજેક્ટથી ધોલેરા અને અમદાવાદ વચ્ચેનું અંતર 1 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે અને ધોલેરા સીધું અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે જોડાઈ જશે.”
આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી આશરે 284 ગામો અને લગભગ 5 લાખ વસ્તીને સીધો લાભ મળશે.
ભારતીય રેલ્વેના અનુસાર આ પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેના દ્વારા આશરે 0.48 કરોડ લિટર તેલની બચત થશે તેમજ લગભગ 2 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 10 લાખ વૃક્ષોના રોપણ જેટલા પર્યાવરણીય લાભ સમાન છે.
આ પ્રોજેક્ટને વર્ષ 2030-31 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
Estate Management Scheme | ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી…
VD Satheesan Kerala CM | કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ( kerala assembly election 2026 Results)…
Teacher Bharti 2026 | ગુજરાત સરકાર (Gujarat Government)ના શિક્ષણ વિભાગે (Education Department) રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં…
Gandhinagar Car Accident | ગાંધીનગરના (Gandhinagar) PDPU રોડ પર ગત સાંજે બેફામ ડ્રાઇવિંગના (Driving) કારણે…
Chotila Highway Accident | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (National Highway) પર મોડી રાત્રે…
સાબરમતી સ્ટેશનથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ટ્રેન દ્વારા દિલ્હી માટે પ્રસ્થાન કર્યું તા.…