કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ
ખાબડ કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકશે
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન યોજાશે ‘કેસર
કેરી મહોત્સવ’
ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે અમદાવાદના નાગરિકો
ગુજરાત સરકારના એકમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની
જેમ આ વર્ષે પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ૧૮ મે,
૨૦૨૩ ગુરુવારના રોજ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાજ્યના કૃષિમંત્રી શ્રી
રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ ખાબડ કેસર કેરી
મહોત્સવ ખુલ્લો મુકશે. ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન ચાલનાર આ મહોત્સવમાં કેસર કેરી
પકવતા ખેડૂતો સીધુ વેચાણ કરશે.
અમદાવાદના નાગરિકોને કેસર કેરીનો અસ્સલ સ્વાદ અને ખેડૂતોને સારું બજાર
મળે તે હેતુથી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન કેસર કેરી મહોત્સવનું આયોજન કરે
છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે ઉત્તમ ગુણવત્તાયુક્ત કેરી મળવાને કારણે પ્રતિવર્ષ
અમદાવાદના લોકો કેસર કેરી મહોત્સવની રાહ જોતા હોય છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…