27-11
સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે તા. ૨૭ નવેમ્બરે ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી ચેતન પંડ્યાના હસ્તે ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
શ્રી ગણેશ વાસુદેવ માવળંકર : એક વિસ્તૃત પરિચય :-
જન્મ : તા. ૨૭મી નવેમ્બર, ૧૮૮૮, વડોદરા
અવસાન : તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૫૬, અમદાવાદ
‘માવળંકરદાદા’ના હેતાળ નામથી લોકહૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા, રાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાં દરેક તબક્કે ભાગ લીધો, સન ૧૯૧૩માં વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી,સન ૧૯૧૪થી સરદાર પટેલ અને સન ૧૯૧૬થી પૂજ્ય મહાત્મા ગાંધી સાથે મુક્તિસંગ્રામથી જાહેર જીવનની શરૂઆત કરી. દાદાસાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહ અને ખેડાની લડતમાં ભાગ લઈ કુલ ૩૩ મહિના કારાવાસ ભોગવ્યો હતો. સન ૧૯૩૭-૪૬ દરમિયાન આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ અને ત્યારબાદ વર્ષ ૧૯૫૨-૫૬ દરમિયાન લોકસભાના અધ્યક્ષ બન્યા. તેઓ ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં સંગીન પ્રણાલિકાઓ પાડનાર આદર્શ અધ્યક્ષ હતા. ગુજરાત સભા -ગુજરાત ક્લબના મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી, અમદાવાદની સામાજિક,રાજકીય તેમજ કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં સિંહફાળો આપનાર શ્રી માવળંકર અવસાનના દિવસ સુધી સતત કાર્યરત રહ્યા હતા.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…