Gujarat Development

આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું નિરીક્ષણ

ડીઆરએમ અમદાવાદ એ મુશળધાર વરસાદ વચ્ચે આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું બપોરે 3 કલાકથી પરોઢના 4 કલાક સુધી વિગતવાર નિરીક્ષણ કર્યુ

ગુજરાતમાં સતત થઈ રહેલા મુશળાધાર વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રી સુરક્ષા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે સમગ્રપણે સતર્ક અને સક્રિય છે. આ જ ક્રમમાં મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ 24 જુલાઈના રોજ બપોરે 3.00 કલાકથી 25 જુલાઈ 2026 ના રોજ પરોઢીયે 4.00 કલાક સુધી સિનિયર અધિકારીઓની સાથે આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી વરસાદથી ઉતપન્ન પરિસ્થિતિઓનો સ્થળ પર જઈને વિગતવાર તાગ મેળવ્યો.

 

લગભગ 13 કલાક ચાલેલા આ અવિરત નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે મેનેજરે રેલવે સેક્શનના વિવિધ સંવેદનશીલ સ્થળો, રેલવે ટ્રેક, પુલ-નાળાઓ, પાણી નિકાલની વ્યવસ્થા તથા 100 થી વધુ રોડ અંડર બ્રિજ (RUB), રોડ ઓવર બ્રિજ (ROB), અંડરપાસ અને સ્ટેશનોનું તળસ્પર્શી નિરીક્ષણ કર્યું. સતત થઈ રહેલા વરસાદ વચ્ચે તેમણે ગાધીનગરમાં આવેલ રોડ અન્ડર બ્રિજ (RUB) નું મધ્યરાત્રીમાં પણ નિરીક્ષણ કર્યું તથા પાણી ભરાવાની સ્થિતિ, ડ્રેનેજ સિસ્ટમની કાર્ય ક્ષમતા તથા સ્થાનિક રોડ ટ્રાફિક પર પડી રહેલી અસરની વિગતવાર આકારણી કરી.

શ્રી વેદ પ્રકાશ એ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા કે પાણી નિકાલ માટે પમ્પિંગ વ્યવસ્થા અને રાહત કામ યુદ્ધસ્તર પર સતત ચાલુ રાખવામાં આવે, જેથી સામાન્ય નાગરિકો, રોડ ટ્રાફિક તથા રેલવે સેવાઓ પર કોઈપણ પ્રકારની પ્રતિકૂળ અસર ન પડે. તેમણે ચોમાસા દરમિયાન તમામ સુરક્ષા પરિમાણોનું કડકાઈથી પાલન કરવા તથા સંવેદનશીલ સ્થળોએ સતત દેખરેખ જાળવી રાખવાના પણ નિર્દેશ આપ્યા.

તેમણે કહ્યું કે પાણી ભરાવાની અથવા કોઈપણ સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહી સનિશ્ચિત કરવામાં આવે, જેનાથી યાત્રીઓની સુરક્ષા અને રેલવે સંચાલન પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. તેમણે તમામ વિભાગના અધિકારીઓથી સંકલિત રૂપે કામ કરતાં દરેક સ્થિતિ પર સતત દેખરેખ રાખવા જણાવ્યું.
અમદાવાદ મંડળ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખતાં તમામ સંવેદનશીલ સ્થળો પર 24X7 દેખરેખ રાખવામાં આવી રહી છે. રેલવેના એન્જિનિયરીંગ, સંચાલન, સિગ્નલ અને ટેલિકોમ, ઈલેક્ટ્રિક તથા અન્ય સંબંધિત વિભાગોની વિશેષ ટીમો સતત ફિલ્ડમાં તૈનાત અને કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


અમદાવાદ મંડળ માટે યાત્રીઓની સુરક્ષા, સુરક્ષિત અને અવિરત રેલવે સંચાલન અને સામાન્ય નાગરિકોની સુવિધા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન તમામ સાવચેતીના પગલાં, પાણી નિકાલ અને રાહત કામ સતત યુદ્ધસ્તરે ચાલુ જ રહેશે.
*****

Chief Editor

Recent Posts

GSSP દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા તા. 8 જુલાઈ, 2026ના…

2 hours ago

કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષને શિકાગોની ભવ્ય  વિદાય

નેશનલ ઈન્ડિયા હબ દ્વારા કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષને શિકાગોની 55 સંસ્થાઓ એ આપેલ ભવ્ય  વિદાય  250 થી…

2 hours ago

ઈન્ડિયન સિનિયર્સ શિકાગો

ઈન્ડિયન સિનિયર્સ શિકાગો ઉજવેલ સમર પિકનિક 2026   જુલાઈ ૧૨ ના રોજ ઈન્ડિયન સિનિયર્સ શિકાગોએ…

2 hours ago

KADVA PATIDAR SAMAJ CHICAGO

KPS દ્વારા 5K વોકેથોન અને પિકનિક 2026નું આયોજન   28 જૂન, 2025 ના રોજ, KADVA…

3 hours ago

GPSC: 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ જાહેર થશે

GPSC Exam Postponed | ગુજરાત (Gujarat) માં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત અને અતિભારે વરસાદ…

12 hours ago

મિડલ ઈસ્ટમાં ભડકો: બહેરીન અને કુવૈતે યુએઈની મદદથી ઈરાન પર ગુપ્ત એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો

Iran Gulf Conflict | પશ્ચિમ એશિયા (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત…

12 hours ago