ઉત્તર ભારત સહિત દિલ્હીમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વિમાની સેવાઓને માઠી અસર થઈ રહી છે. અનેક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા રદ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો જાણવા ખૂબ જરૂરી છે.
ભારતમાં મુસાફરોની સુવિધા માટે સ્પષ્ટ દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જો તમારી ફ્લાઇટ મોડી પડે કે કેન્સલ થાય, તો તમને નીચે મુજબના લાભ મળી શકે છે:
ભોજન અને નાસ્તો: જો તમે સમયસર ચેક-ઈન કરી લીધું હોય અને ફ્લાઇટ 2 થી 4 કલાક મોડી હોય, તો એરલાઇન્સે મુસાફરોને મફત ભોજન અને પીણું આપવું પડે છે.
વૈકલ્પિક ફ્લાઇટ અથવા રિફંડ: જો ફ્લાઇટ 6 કલાકથી વધુ મોડી હોય, તો એરલાઇને બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવી પડે અથવા ટિકિટના પૂરેપૂરા પૈસા પાછા આપવા પડે.
હોટલ અને ટ્રાન્સપોર્ટ: જો ફ્લાઇટમાં ઘણો લાંબો વિલંબ હોય, તો એરલાઇને મુસાફરોને હોટલમાં રહેવા અને ત્યાં જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવી પડે છે.
નોંધ: જો વિલંબનું કારણ હવામાન, કુદરતી આફત કે રાજકીય અશાંતિ (જે એરલાઇનના હાથમાં નથી) હોય, તો હોટલ જેવી સુવિધાઓ આપવી ફરજિયાત નથી.
જો એરલાઇન યોગ્ય સમયે સૂચના ન આપે અથવા તેની ભૂલને કારણે ફ્લાઇટ કેન્સલ થાય, તો નીચે મુજબ વળતર મળી શકે છે:
| સ્થિતિ | વળતરની રકમ |
| ફ્લાઇટ કેન્સલ થવા પર અથવા કનેક્શન મિસ થવા પર | ₹5,000 થી ₹10,000 સુધી |
| 1 કલાક પહેલા ફ્લાઇટ કેન્સલ થાય તો | ₹5,000 સુધી |
| 2 કલાકથી વધુ વિલંબ સાથે કેન્સલ થાય તો | ₹10,000 સુધી |
| 24 કલાકથી વધુ વિલંબ બાદ ફરી બુકિંગ પર | ₹20,000 સુધી |
સામાનનું નુકસાન: જો મુસાફરનો સામાન ખોવાઈ જાય કે તેને નુકસાન થાય, તો પણ એરલાઇન દ્વારા વળતર ચૂકવવામાં આવે છે.
ટિકિટ કેન્સલેશન: મુસાફરો ઉડાનના 7 દિવસ પહેલા સુધી ગમે ત્યારે ટિકિટ કેન્સલ કરી શકે છે. આ કિસ્સામાં તમામ ટેક્સ અને ચાર્જિસનું પૂરેપૂરું રિફંડ મેળવવા માટે તેઓ હકદાર છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…