National

પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા

West Bengal Election | પશ્ચિમ બંગાળના (West Bengal) રાજકારણમાં 2026 ની વિધાનસભા ચૂંટણીએ એક મોટું પરિવર્તન આણ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનર્જીના 15 વર્ષના લાંબા શાસનનો અંત આણી દીધો છે.

આ કારમી હાર બાદ હવે મમતા બેનર્જીની ટીમમાં ભંગાણ પડવાનું શરૂ થયું છે. સરકારના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવતા સનદી અધિકારીઓ (Civil Servants), અર્થશાસ્ત્રીઓ અને કાયદાકીય સલાહકારોએ (Legal Advisors) પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું છે.

મમતા બેનર્જીના સૌથી નજીકના ગણાતા પૂર્વ મુખ્ય સચિવ (Chief Secretary) અલાપન બંદ્યોપાધ્યાયે 5 મે 2026 ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં કેન્દ્ર સરકાર સાથેના વિવાદ સમયે મમતા બેનર્જીએ તેમને પૂરો સાથ આપ્યો હતો. તેમની સાથે અન્ય એક વરિષ્ઠ અધિકારી એચ. કે. દ્વિવેદીએ પણ છેડો ફાડ્યો છે. આ બંને અધિકારીઓને મમતા સરકારના વહીવટીતંત્રના સ્તંભ (Pillars) માનવામાં આવતા હતા.

આ રાજીનામાની લાઇન વહીવટીતંત્ર પૂરતી મર્યાદિત નથી. પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમના (WBIDC) અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી (Economist) અભિરૂપ સરકારે પણ નૈતિકતાના ધોરણે પદ છોડ્યું છે.

તેમણે જણાવ્યું કે જનાદેશ વિરોધમાં હોવાથી તેઓ પદ પર ચાલુ રહી શકે નહીં. કાયદાકીય બાબતોમાં સરકારનો પક્ષ મજબૂત રાખનારા એડવોકેટ જનરલ (Advocate General) કિશોર દત્તાએ પણ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

રાજ્યના મુખ્ય સચિવાલય ‘નબન્ના’ (Nabanna) માં અત્યારે ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે. મીડિયા સલાહકારો (Media Advisors) અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કરતી ટીમોએ પણ વિદાય લીધી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અનેક વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓ હવે આગામી ભાજપ સરકાર સાથે તાલમેલ બેસાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. 15 વર્ષના એકહથ્થુ શાસન બાદ બંગાળમાં આ વહીવટી શૂન્યાવકાશ (Administrative Vacuum) નવી સરકાર માટે એક મોટો પડકાર બની શકે છે.

Chief Editor

Recent Posts

પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી

Suvendu Adhikari PA Murder | પશ્ચિમ બંગાળના રાજકારણમાં (Politics) ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે.…

1 hour ago

અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP

Ahmedabad Plane Crash | અમદાવાદ (Ahmedabad)માં બનેલી કરુણ વિમાન દુર્ઘટના (Plane Crash) અંગે દરરોજ નવા અને…

1 hour ago

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો

Sohrabuddin Encounter Case | બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં એક મહત્વપૂર્ણ…

3 hours ago

WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત

અમદાવાદ મંડળ પર આંતરરાષ્ટ્રીય મજૂર દિવસનું આયોજન   તારીખ 1 મે 2026 આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના…

5 hours ago

મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના

  પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ :માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા.     પશ્ચિમ રેલવેનું…

5 hours ago

2026 પૃથ્વીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે: જેમ્સ હાનસેનની આગાહી

Hottest Year 2026 | વિશ્વના જાણીતા હવામાન વૈજ્ઞાનિક (Climate Scientist) ડૉ. જેમ્સ હાનસેને એક અત્યંત…

1 day ago