Chardham Yatra 2026 | હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં સ્થિત આધ્યાત્મિક શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો સર્વોચ્ચ માર્ગ એવી ચારધામ યાત્રા (Chardham Yatra) નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. વર્ષ 2026 ની આ આસ્થાભરી સફરનો શંખનાદ અક્ષય તૃતીયા (Akshaya Tritiya) ના મંગલકારી અવસરે થયો છે. આજે 19 April, 2026 ના રોજ સવારે શુભ મુહૂર્તમાં ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખૂલતાની સાથે જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખુલ્યા: ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત મા ગંગા અને મા યમુનાના ધામોમાં વૈદિક મંત્રોચ્ચાર (Vedic Chanting) અને શંખનાદ સાથે કપાટ ખોલવામાં આવ્યા હતા. શિયાળાના લાંબા વિરામ બાદ હજારો શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસે દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પરંપરા મુજબ યાત્રાનો પ્રારંભ યમુનોત્રીથી થાય છે, જે મોક્ષની પ્રથમ સીઢી (First step to salvation) માનવામાં આવે છે.
કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ક્યારે ખુલશે? ગંગોત્રી (Gangotri) અને યમુનોત્રી (Yamunotri) બાદ હવે ભક્તો બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વૈદિક પંચાંગ (Vedic Calendar) મુજબ આગામી તારીખો નીચે મુજબ છે:
ધાર્મિક મહત્વ: પૌરાણિક માન્યતા મુજબ, યમુનાજીના શીતળ જળમાં સ્નાન કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. જ્યારે ગંગોત્રીમાં સ્નાન કરવાથી પાપો નાશ પામે છે અને માનસિક શાંતિ (Mental peace) મળે છે. જે ભક્તો પ્રત્યક્ષ રીતે ઉત્તરાખંડ નથી જઈ શકતા, તેઓ સ્નાનના જળમાં ગંગાજળ ઉમેરીને પૂજા કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. હાલમાં યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવનારા યાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં…
Anti-paper leak bill | દેશભરમાં પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક (Paper Leak) ની ઘટનાઓ સામે…
Cyber e Zero FIR | ગુજરાતમાં સાયબર ગુનાઓ (Cyber Crimes) પર ઝડપી કાર્યવાહી કરવા અને…
ગુજરાત (Gujarat) માં છેલ્લા 5 દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદ (Rain) ને કારણે રાજ્યમાં પાણીની…
અમદાવાદ (Ahmedabad) માં તાજેતરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે બોપલ (Bopal), ગોટા (Gota),…
Hakabha Gadhvi Accident | ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi) ની…